અનેક વાર એવું બને છે કે તમે આધાર કાર્ડ માટે બર્થ ડેટ અપડેટની એપ્લીકેશન કરો અને તે રિજેક્ટ થાય તો તમારે આ કામ કરવાની જરૂર છે.
Aadhaar Cardમાં ફેરફાર કરવા જાણો આ વાત
ડેટ ઓફ બર્થ અપડેશનની એપ્લીકેશન થઈ છે રિજેક્ટ
તમારે કરવાનું રહેશે આ પ્રોસેસથી કામ
આધાર કાર્ડ હવે એક મહત્વનો ડોક્યુમેન્ટ બની ગયો છે. આધાર કાર્ડમાં શક્ય છે કે ખોટી બર્થ ડેટ છપાઈ ગઈ હોય. જો તમે તેમાં ફેરફાર કરાવવા ઈચ્છો છો અને તમારી એપ્લીકેશન રિજેક્ટ થાય છે તો તમે મૂંઝાઈ જાવ છો. આ સમયે તમારે ચિંતા કરવાની જરૂર નથી. યૂઆઈડીએઆઈ કાર્ડ ધારકોને ખાસ સુવિધા આપે છે.
જો તમે પહેલી વાર તમારી ડેટ ઓફ બર્થને અપડેટ કરી રહ્યા છો તો તમારે 1947 પર કોલ કરવાનો રહે છે અને તેને માટેની માહિતિ તમને આપવામાં આવે છે. તમે તે સરળ રીતે કામ કરી શકો છો.
ડેટ ઓફ બર્થને ચેન્જ કરવાને લઈને નિયમો થોડા કડક છે. ડેટ ઓફ બર્થમાં ફેરફાર માટે અરજી કરતી સમયે ઉંમરથી 3 વર્ષની રેન્જમાં વધારો કે ઘટાડો કરીને નામાંકન કરાય છે. તમે આધારમાં ડેટ ઓફ બર્થના સિવાય તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જેન્ડર, બાયોમેટ્રિકને અપડેટ કરાવી શકો છો.
જો તમારા આધાર કાર્ડમાં જરૂરી અપડેટ નથી કરતા તો તમને નુકસાન થઈ શકે છે. એવા અનેક કાર્ડધારકો છે જેના આધારમાં એડ્રેસ, મોબાઈલ નંબર કે અન્ય અપડેટ હોતા નથી અને તેના કારણે જરૂરિયાતના સમયે મુશ્કેલી આવે છે.