સુરતઃ રાજદ્રોહનાં ગુનામાં તાજેતરમાં જામીન મુક્ત થયેલાં એવાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા સામે ખીમાભાઈ નામનાં શખ્સે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હોવાંની ઘટના સામે આવી છે. આ અરજીમાં ખીમાભાઈ ચૌહાણે અલ્પેશ કથીરિયાનાં સમર્થકો પર ટ્રાફિકજામ કરવાનો આક્ષેપ કર્યો છે.
મહત્વનું છે કે થોડાંક દિવસો પહેલાં વરાછા પોલીસ સ્ટેશનમાં અલ્પેશે પોલીસકર્મીઓ સામે બબાલ કરી હતી. અલ્પેશ કથીરિયાએ એક સપ્તાહ પહેલાં જ અગાઉ વરાછા વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં પોલીસવાળાઓ સાથે માથાકૂટ થઇ હોવાંની ઘટના સામે આવી હતી. ત્યારે તેણે વ્હીકલ ઉઠાવવા મુદ્દે ટ્રાફિક પોલીસ સાથે જાહેરમાં માથાકૂટ થઇ હતી. ત્યારે અલ્પેશની એ જ સમયે અટકાયત કરવામાં આવી હતી.
આ ધરપકડ બાદ અલ્પેશ કથીરિયાએ જેલની અંદર પોલીસકર્મીઓને અભદ્ર શબ્દો કહ્યા હતાં. આ મામલે વીટીવીની ટીમે અલ્પેશ સાથે વાત કરી હતી. પોલીસ સામે અભદ્ર ભાષા વાપરવા માટે અલ્પેશે કબૂલાત કરી છે.
આ દરમિયાન અલ્પેશે જણાવ્યુ કે જો મને કોઈ ગાળો આપશે તો હું પણ વળતો જવાબ આપીશ. સાથે જ તેમણે પોલીસ પર નિવેદન આપતા જણાવ્યું કે પોલીસે રાજકીય ઈશારે ફરિયાદ કરી છે. સસ્તી પ્રસિદ્ધિ માટે પોલીસ સાથે ઘર્ષણ કર્યુ નથી.
ત્યારે ઉલ્લેખનીય છે કે પથરીની સારવાર માટે જઇ રહ્યાં હતાં ત્યારે ખીમાભાઈને ટ્રાફિકજામ નડ્યો હતો. કેટલાંક લોકો દ્વારા નુકસાન કરવામાં આવ્યો હોવાંનો ખીમાભાઈએ આક્ષેપ કર્યો છે.
આ મામલે ખીમાભાઈએ પ્રતિક્રિયા આપી છે કે સમાજને ન્યાય માટે રસ્તા પર ઉતરે તે સામાન્ય છે. ખોટી બાબતોને લઇને રસ્તાઓ પર ઉતરીને નુકસાન પહોંચાડવામાં આવે છે. અલ્પેશથી લોકો ડરે છે એટલે સામે આવતા નથી.