ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પૂર્વ મંત્રી જશા બારડ સામે ગુજરાત HCમાં અરજી કરવામાં આવી. જશા બારડ પર સરકારી શાળાની જગ્યાએ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બાંધ્યાનો આક્ષેપ લગાવાયો.
પૂર્વ મંત્રી જશા બારડ સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી
હાઈકોર્ટે જિલ્લા કલેક્ટર-PGVCL સહિતને નોટિસ ઈશ્યુ કરી
પૂર્વ મંત્રી જશા બારડ સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જશા બારડ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેથી ગુજરાત હાઈકોર્ટે સરકાર, જિલ્લા કલેક્ટર અને PGVCL સહિતને નોટિસ ઈશ્યુ કરી છે.
પૂર્વ મંત્રી જશા બારડ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી, સરકારે આપેલી ટ્રસ્ટની જમીન પર ભ્રષ્ટાચાર કર્યાની રજૂઆત, ગુજરાત હાઈકોર્ટે સરકાર, જિલ્લા કલેક્ટર અને PGVCL સહિતને નોટિસ ઈશ્યુ કરી#Gujarat
સરકારી શાળાની જગ્યા પર કોમર્શિયલ કોમ્પલેક્ષ બાંધ્યાનો આક્ષેપ
સરકારે આપેલી ટ્રસ્ટની જમીન પર જશા બારડે ભ્રષ્ટાચાર કર્યાની અરજીમાં રજૂઆત કરવામાં આવી. સરકારી શાળાની જગ્યા પર કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બાંધ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તદુપરાંત ગીર સોમનાથના સૂત્રાપાડામાં 45 જેટલી દુકાનો બનાવી દીધી હોવાની પણ અરજીમાં રજૂઆત કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા રમત-ગમત માટે મેદાન ફાળવવામાં આવતા હોય છે. એજ રીતે વર્ષો પહેલા ગીર સોમનાથ Gir Somnath જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં પણ બી.એમ. બારડ એજ્યુકેશન ટ્રસ્ટને પણ રમત-ગમત માટે મેદાન ફાળવવામાં આવ્યું હતું. પરંતુ થોડાક મહિના અગાઉ ચેતન બારડ RTI એક્ટિવિસ્ટ દ્વારા માહિતી માંગતા તેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા.
રમત-ગમતના મેદાનની સ્થતિ જાણવા માટે RTI કરતા જાણવા મળ્યું હતું કે, સરકારે જાહેર કરેલા રમત-ગમતના મેદાનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ટ્રસ્ટ પૂર્વ મંત્રી જશા બારડનું છે. ત્યારે જશા બારડે કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બનવા અંગે ગેરકાયદેસર દુકાનો માટે શરત ભંગની કલેક્ટરને જાગૃત નાગરિકે જે-તે સમયે ફરિયાદ કરી હતી.
જાણો પૂર્વ મંત્રી જશા બારડે કેવી રીતે કૌભાંડ આચર્યું હતું?
RTI એક્ટિવિસ્ટે ટ્રસ્ટ સામે આક્ષેપ કર્યા હતા કે, બી.એમ.બારડ એજ્યુકેશન ટ્રસ્ટ સરકારે જાહેર કરેલા રમત ગમતના મેદાનમાં જશા બારડે કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં 45 જેટલી દુકાનો બનાવી કૌભાંડ આચર્યું છે અને દુકાનો બનાવી છે. તે દુકાનો PGVCL અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકને અને સુત્રાપાડા વેચાણ સંઘને ભાડે આપ્યાનું સામે આવ્યું છે. આ તમામ સંસ્થા પાસેથી મિલ્કતની અવેજીમાં ભાડા કરારના અરજદારે આક્ષેપ કર્યા છે. એક દુકાન 10 લાખ રૂપિયામાં વેચી હોવાનો સ્થાનિકનો આરોપ લગાવ્યો છે. આ અંગે જીલ્લા કલેક્ટરે જે-તે સમયે મહેસૂલ અધિનિયમ 1889 કલમ 89A મુજબની ટ્રસ્ટ વિરૂદ્ધ કાર્યદર્શક નોટીસ પણ પાઠવી હતી.