બોલિવૂડ એક્ટ્રેસ અને પ્રોડ્યુસર અનુષ્કા શર્મા અને કેપ્ટન વિરાટ કોહલીના ઘરે દીકરીનો જન્મ થયો ત્યારથી તેની તસવીરને લઇને ખુબ ચર્ચા થઇ રહી છે. ફેક તસવીર પણ વાયરલ થઇ હતી બાદમાં સ્પષ્ટતા થઇ હતી કે તે વિરુષ્કાની દીકરીની તસવીર નથી. મમ્મી-પપ્પા બનેલ વિરુષ્કાની પેપરાઝીને અપીલ છે કે તેમના બાળકની તસવીર ન પાડે.
વિરુષ્કાની પેપરાઝીને રિકવેસ્ટ
અનુષ્કા અને વિરાટને આવી દીકરી
પેપરાઝીને લખી નોટ અને કહ્યું થેન્ક્યુ
પ્રાઇવસી રાખવા કરી અપીલ
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ મુંબઇમાં પેપરાઝીઝને એક નોટ લખી છે અને તેમાં તેમની અને તેમની બાળકીની પ્રાઇવસીને લઇને કહ્યું છે કે પ્લીઝ અમારી બાળકીની ગોપનિયતાનું સન્માન રાખો. આ નોટમાં લોકોનો આભાર પણ માન્યો છે.
પોતાની નોટમાં તેમણે લખ્યું કે, માતા-પિતાના રૂપમાં અમારો દરેકને એક સિમ્પલ અનુરોધ છે કે અમે અમારા નિવેદનમાં કહ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે અમારા બાળકને અમે સેલિબ્રિટી તરીકે ઉછેરવા નથી માંગતા. સાથે જ તેમણે આગ્રહ કર્યો છે કે તેની દીકરીની તસવીર ન ખેંચે, તેઓ સામેથી જ તેમની દીકરીની તસવીર દરેકની સાથે શૅર કરશે.
તમને જણાવી દઇએ કે, છેલ્લા મહિનામાં બંનેએ લગ્નની ત્રીજી એનીવર્સરી સેલિબ્રેટ કરી છે. 2020માં અનુષ્કા અને વિરાટે તેઓ માતા-પિતા બનવાના છે તે વાતની જાણકારી આપી હતી. ફેન્સ અને બંને પરિવાર વચ્ચે ખુબ જ ખુશીનો માહોલ છે. હવે જ્યારે વિરુષ્કાની દીકરી આ દુનિયામાં આવી ગઇ છે ત્યારે ફેન્સ તેમની દીકરીની પહેલી ઝલક જોવા માટે ઉત્સુક બન્યા છે.
અનુષ્કાએ રાખી હતી આ શરત
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ઘરે ખુશખબરી આવી છે. તે પિતા બની ગયા છે અને તેમની પત્ની અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો છે. તેની જાણકારી વિરાટ કોહલીએ પોતે ટ્વિટ કરીને આપી હતી. તે સાથે જ તેમણે દરેકને અભિનંદન પાઠવવા બદલ થેન્ક્યુ કહ્યું હતું. અનુષ્કાએ માતા બનતા પહેલા વિરાટ કોહલી સામે એક શરત રાખી હતી.
શું હતી શરત
અનુષ્કાએ કહ્યું હતું કે, તે પોતાના બાળકનું પાલન-પોષણ સામાન્ય બાળકોની જેમ જ કરે. તે નથી ઇચ્છતી કે તેમના કામનો અસર તેના બાળકો પર પડે. જો કે આ નિર્ણય વિરાટ અને અનુષ્કાએ સાથે મળીને લીધો હતો. બંને નથી ઇચ્છતા કે તેમનું બાળક સેલિબ્રીટી તરીકે મોટુ થાય. કોહલીએ કહ્યું હતું કે મેં અનુષ્કા પાસેથી ઘણી વસ્તુઓ શીખી છે.
અનુષ્કાએ બદલી જીંદગી
ભારતીય કેપ્ટન વિરાટે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષમાં મેં અનુષ્કા સાથે ઘણી વસ્તુઓમાં બદલાવ મહેસુસ કર્યો છે. તે ખુબ ધાર્મિક છે અને મારામાં પણ ઘણા પોઝીટીવ બદલાવ થયા છે. મને ખબર છે કે આ હંમેશા આવું નહી રહે એક દિવસ આ પણ ખત્મ થઇ જશે પરંતુ મારો પણ પરિવાર છે અને બાળકો પણ થશે.
વિરાટે વધુમાં કહ્યું કે, તેમને મારી સાથે સમય વિતાવવાનો હક હશે પરંતુ સૌથી પહેલી વાત કે કરિયરથી જોડાયેલી વાતો ઘરે ન થાય, મારી ટ્રોફી અને ઉપલબ્ધિઓ મારા ઘરે ન રહે. મારા બાળકોને ક્યારેય સેલિબ્રીટી હોવાનો એહસાસ ન થાય. આ નિર્ણય મે અનુષ્કા સાથે મળીને લીધો હતો.