રાજ્યના અનેક શહેરોમાં અનેક ઇમારતો જર્જરિત હાલતમાં છે. જ્યારે આજે સુરતમાં 35 વર્ષ જૂના એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો છે. સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં વિશાલ દર્શન એપાર્ટમેન્ટનો ગેલેરીનો ભાગ ધરાશાયી થયો છે. જોઇએ સમગ્ર ઘટના.
35 વર્ષ જૂના એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો છે, તે એપાર્ટમેન્ટમાં 10 મકાન હતા જેમાં 25 જેટલા લોકો રહેતા હતા. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે.
ત્યારે એપાર્ટમેન્ટ તુટી પડતા લોકો રઝળી પડ્યા છે. માલ-સામાન સાથે લોકોએ રસ્તા પર આશરો લેવો પડી રહ્યો છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બિલ્ડિંગ નમી ત્યારબાદ જ તમામ 11 પરિવારના 25 જેટલા રહિશોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા હતા. જે બાદ બિલ્ડિંગ ધડાકાભેર તૂટી પડી હતી.
ત્યારે રાજ્યમાં અનેક ઇમારત જર્જરિત હાલતમાં છે. અમદાવાદ, રાજકોટ, સુરતમાં અનેક ઇમારત જર્જરિત છે છતા પણ કોઇ કાર્યવાહી કરાઇ નથી રહી. ત્યારે અહિંયા સવાલ એ છે કે, દુર્ઘટના બાદ જ કેમ જાગે છે તંત્ર? માત્ર નોટિસ પાઠવી તંત્ર પોતાની જવાબદારી પૂર્ણ કરી લે છે. સરકારની રિ-ડેવલોપમેન્ટ પોલિસની જાહેરાત બાદ પણ કેમ કોઇ કાર્યવાહી નથી કરાતી.