લોકસભા ચૂંટણી બાદ કેટલાક રાજ્યોના ગવર્નરનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી રાષ્ટ્રપતિ દ્વારા નવા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે રાષ્ટ્રપતિએ છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાં નવા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના વધુ 2 રાજ્ય છત્તીસગઢ તથા આંધ્રપ્રદેશમાં નવા રાજ્યપાલની નિયુક્તિ કરી હતી. અનુસુઇયા ઉઇકેને છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ વિશ્વભૂષણ હરિચંદનને આંધ્રપ્રદેશની જવાબદારી સોંપી છે. નોંધનીય છે કે, અનુસુઇયા ઉઇકે રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે તો વિશ્વભૂષણ હરિચંદન ઓડિશાના પૂર્વ કાનૂન મંત્રી રહી ચૂક્યા છે.
President of India, Ram Nath Kovind appoints Anusuiya Uikey as Governor of Chhattisgarh & Biswa Bhusan Harichandan as Governor of Andhra Pradesh. pic.twitter.com/diLaJQJ2hz
આ પહેલા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ અને દેવવ્રત આચાર્યને ગુજરાતના રાજ્યપાલ બનાવવા આવ્યા છે. વિશ્વભૂષણ હરિચંદન આંધ્રપ્રદેશના વર્તમાન રાજ્યપાલ ઇ.એસ.એલ નરસિમ્હનની જગ્યા લેશે. તેઓ UPA સરકારના સમયથી તેઓ ત્યાં રાજ્યપાલ હતા.
આ રાજ્યમાં પૂર્ણ થઇ રહ્યો રાજ્યપાલનો કાર્યકાળ
હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં નવા રાજ્પાલની નિયુક્તિ કરવામાં આવી ચૂકી છે. આવનારા સમયમાં પણ કેટલાક રાજ્યોમાં રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી શકે છે. ગોવાના રાજ્યપાલ મૃદુલા સિન્હાનો કાર્યકાળ 30 ઓગસ્ટ 2019 ના રોજ પૂર્ણ થાય છે.
ગુજરાતના ઓમ પ્રકાશ કોહલી 15 જુલાઇ, કર્નાટકના વજુભાઇ વાળા 31 ઓગસ્ટ, કેરળના રાજ્યપાલ જસ્ટિસ પી સદાશિવમ 4 સપ્ટેમ્બર, મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવનો કાર્યકાળ 29 ઓગસ્ટના રોજ પૂર્ણ થઇ રહ્યો છે.