પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે ઉત્તર-પૂર્વી રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રીઓની સાથે બેઠક કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મુખ્યમંત્રીઓની સાથે બેઠક કરશે.
ઉત્તર પૂર્વોત્તર રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે
સંભવિત ત્રીજી લહેર પહેલા મુખ્યમંત્રીઓ સાથે કરાશે ચર્ચા
પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં અસમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમના મુખ્યમંત્રીઓ સાથે આ બેઠક આવતીકાલે સવારે 11 કલાકે યોજાશે.
ઉત્તર પૂર્વોત્તર રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે
અરૂણાચલ પ્રદેશમાં કોવિડ-19ના સોમવારે 254 કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું છે. અસમમાં રવિવારે કોરોનાના 1579 કેસની પુષ્ટિ થઈ હતી અને 16 લોકોના નિધન થયા હતા. નાગાલેન્ડમાં રવિવારે 78 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 25976 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 507 દર્દીઓના મોત થયા છે.
સિક્કિમમાં રવિવારે કોરોના સંક્રમણના 144 કેસ સામે આવ્યા અને બે લોકોના નિધન થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 22307 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 315 લોકોના મૃત્યુ થયા છે. SBI રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતમાં ઓગસ્ટના મધ્ય સુધી કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના છે. સપ્ટેમ્બરમાં ચરમસીમાએ પહોંચશે.
એસબીઆઈ દ્વારા પ્રકાશિત 'કોવિડ-19- ધ રેસ ટૂ ફિનિશિંગ લાઇન' રિપોર્ટમાં ત્રીજી લહેર પર સૌથી મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે.
21 ઓગસ્ટ બાદ કોવિડની ત્રીજી લહેર ગતિ પકડશે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે હાલનાઆંકડા અનુસાર ભારતમાં જુલાઈના બીજા સપ્તાહની આસપાસ લગભગ 10,000 નવા કેસ સામે આવી શકે છે. પરંતુ ઓગસ્ટના બીજા પખવાડિયા સુધી કેસ વધવાના શરૂ થઈ શકે છે. 21 ઓગસ્ટ બાદ કોવિડની ત્રીજી લહેર વધવા લાગશે. લોકોને ચેતવતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ઓગસ્ટમાં કોવિડની ત્રીજી લહેર આવશે અને સપ્ટેમ્બરમાં પિક પર આવશે.
ત્રીજી લહેર ઓક્ટોબર નવેમ્બરની વચ્ચે ચરમ પર પહોંચી શકે છે- વૈજ્ઞાનિક
કોરોના મહામારી મોર્ડલિંગના સંબંધતમાં એક સરકારી સમિતિના એક વૈજ્ઞાનિક કહે છે કે જો કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે વર્તન નહીં કરવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબર નવેમ્બરની વચ્ચે ચરમ પર પહોંચી શકે છે. પરંતુ બીજી લહેર દરમિયાન નોંધાયેલા દૈનિકથી અડધા મામલાને જોવા મળી શકે છે. ‘સૂત્ર મોડલ’ અથવા કોવિડ 19ના ગણિતીય અનુમાન પર કામ કરી રહેલા મનિંદ્ર અગ્રવાલે એમ પણ કહ્યુ કે જો વાયરસનુ કોઈ નવા સ્વરુપ ઉત્તપન્ન થઈ શકે છે તો ત્રીજી લહેર ઝડપથી ફેલાઈ શકે છે.