બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ જાકિર ખાનની પોસ્ટને કરી શેર
અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામને પોસ્ટને શેર કરી દર્શાવ્યો રોષ
અનુષ્કાએ જાકિર ખાનની પોસ્ટ કરી શેર
ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને બોલીવુડના મોટા મોટા અભિનેતાઓએ સિદ્ધાર્થના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ સિદ્ધાર્થના શુક્લાના નિધનથી ખૂબ દુ:ખી છે. પરંતુ તેના મોત બાદ ચાલતા અહેવાલો પર અનુષ્કાએ રોષ દર્શાવ્યો છે. અનુષ્કાએ સ્ટેન્ડ અપ કોમેડિયન અને યુટ્યુબર જાકિર ખાનની પોસ્ટને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી નારાજગી દર્શાવી છે.
પોસ્ટમાં શું લખ્યું?
જાકિર ખાને પોતાની પોસ્ટમાં લખ્યું, વો તુમ્હે ઈન્સાન નહીં સમજતે ઈસલિએ નહીં કોઈ લાઈન... ના કોઈ બ્રાઉન્ડીઝ હૈ, તુમ્હારી લાશ ઉનકે લિએ કોઈ રૂહ નિકલા હુઆ જિસ્મ નહીં, બસ તસ્વીર લેને કા ઓર એક મોકા હે, જીતની હો સકે.... યે વૈસા હૈ જૈસે, દંગોમાં કિસિ જલતે ઘર મેં બર્તન ચુરાને કી કોશિશ કરના..... ક્યોકિ ઉનકે ઈસકે બાદ, તુમ ક્યા હી કામ આઓગે, જ્યાદા સે જ્યાદા 10 તસ્વીરે, 5 ખબરે, 3 વીડિયોઝ, 2 સ્ટોરીઝ......
જાકિરની આ પોસ્ટમાં વધુ પંક્તિઓ પણ છે, જે પરોક્ષ રીતે મીડિયા પર કટાક્ષ કરે છે. જાકિરની આ પોસ્ટને અનુષ્કાએ પણ શેર કરી છે. અગાઉ અનુષ્કાએ સિદ્ધાર્થ શુક્લાના પરિવાર અને મિત્રોને સોશિયલ મીડિયા દ્વારા સંવેદના દર્શાવી હતી.