ડિસેમ્બર 2018માં રિલીઝ થયેલી ઝીરો ફિલ્મ બાદ અનુષ્કા શર્મા ફિલ્મોથી દૂર છે. તે હાલ કોઇ ફિલ્મનું શૂટિંગ કરી રહી નથી કે હાલ તેની પાસે કોઇ પ્રોજેક્ટ પણ નથી. તેવામાં પ્રશ્ન એ ઊઠ્યો છે કે અનુષ્કા શર્મા ધીરે ધીરે બોલીવુડથી દૂર જઇ રહે છે. આ પ્રશ્ન પર મૌન તોડતા અનુષ્કા શર્માએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
અનુષ્કા શર્મા પાસે હાલ કોઇ ફિલ્મ પ્રોજેક્ટ નથી. વર્ષ 2018માં એની ત્રણ ફિલ્મ 'પરી', 'સુઇ ધાગા' અને 'ઝીરો' રિલીઝ થઇ હતી. આ ત્રણેય ફિલ્મ બૉક્સ ઑફિસ પર કંઇ ખાસ કમાલ કરી શકી નહતી. તાજેતરમાં અનુષ્કા શર્માએ જણાવ્યું કે એને ઘણી સારી ફિલ્મોને રિજેક્ટ કરી દીધી છે.
આ પ્રશ્નના જવાબમાં અનુષ્કાએ જવાબ આપ્યો કે સારા રોલ માટે તમારે બેસીને વિચારવું જોઇએ અને પછી નિર્ણય લેવાની જરૂર છે.મને લાગે છે કે હું હવે એવા સ્ટેજ પર પહોંચી ચુકી છું, જ્યાં માત્ર ખાવા માટે ફિલ્મ સાઇન ના કરી શકું, અનુષ્કાએ 27 વર્ષની ઉંમરમાં ફિલ્મ 'NH 10' પ્રોડ્યૂસ કરી હતી.
અનુષ્કા ઘણી ફિલ્મોમાં પ્રોડ્યૂસર તરીકે જોડાઇ છે. અનુષ્કાએ કહ્યું, 'અમે ડિજીટલ પ્લેટફોર્મ માટે કેટલાક શો બનાવી રહ્યા છે. એક ફિલ્મ પર પણ કામ ચાલી રહ્યું છે. આ ચીજોને પણ મારા સમયની જરૂર છે. મારા માટે આ એકદમ અલગ છે. કેટલીક વખત લોકોને એ વાત માટે ખબર હોતી નથી જે હું પડદા પાછળ કરું છું.'
અનુષ્કાનું કહેવું છે, 'હું મારા કામ પર ફોકસ કરવા ઇચ્છું છું. સાથે જ પાછ ફરીને એવું પણ જોવા ઇચ્છું છું કે મેં શું કર્યું. હું મારા કામથી પૂરી રીતે સંતુષ્ટ છું. મે એવું કર્યું જે હું હંમેશા કરવા ઇચ્છતી હતી.'