બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીએ અચાનક લગ્ન કરીને લોકોને ચોંકાવી દીધા હતા. એ વખતે અનુષ્કાનું કરિયર પીક પર હતું. તો બીજી બાજુ વિરાટ પણ સતત મેદાન પર રનો કરી રહ્યો હતો. લગ્નના દોઢ વર્ષ બાદ અનુષ્કાએ જણાવ્યું શા માટે નાની ઉંમરમાં વિરાટ સાથે લગ્ન કરી લીધા.
વર્ષ 2017ના ડિસેમ્બરમાં જ્યારે અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથે લગ્ન કર્યો તો એની ઉંમર 29 વર્ષની હતી. બંનેના લગ્નને આશરે દોઢ વર્ષ થઇ ગયા છે. તાજેતરમાં જ અનુષ્કાએ જણાવ્યું કે એક્ટ્રેસ હોવા છતાં નાની ઉંમરમાં કેમ લગ્ન કર્યા?
મીડિયા સાથે વાતચીત કરતાં અનુષ્કાએ કહ્યું, 'અમારી ઓડિયન્સનો અમારી ઇન્ડસ્ટ્રીથી વધારે વિકાસ થયો છે. હવે દર્શકો કલાકારોને માત્ર પડગા પર જોવામાં રસ દાખવે છે. એમને તમારા વ્યક્તિગત જીવનથી કોઇ ફરક પડતો નથી.'
એક્ટ્રેસે કહ્યું, 'એમને કોઇ ફરક નથી પડતો કે તમારા લગ્ન થઇ ગયા અથવા તમે મા બની ગઇ છો. આપણે એ પૂર્વાગ્રહથી બહાર નિકળવાની જરૂર છે. મે 29 વર્ષની ઉંમરમાં લગ્ન કરી લીધા જે એક એક્ટ્રેસ હોવાને નાતે ઓછી ઉંમર છે. મે આવું કર્યું કારણ કે મને પ્રેમ થઇ ગયો હતો...અને હું એને પ્રેમ કરું છું. લગ્ન એક એવી ચીજ છે જે સંબંધને આગળ લઇ જાય છે. હું હંમેશા એ વાત માટે ઊભી રહી છું કે મહિલાઓની સાથે સમાન વર્તણૂંત થવું જોઇએ.'
અનુષ્કાએ આગળ કહ્યું કે, 'એમની ઇમાનદારી એક એવી ચીજ છે, જેની હું ખૂબ જ કદર કરું છું. હું એક ઇમાનદાર છોકરી છું એટલા માટે હું આ ચીજોને લઇને ખૂબ જ સજાગ રહું છું. હું ખૂબ જ ખુશ છું કે હું એમના જેવા કોઇ વ્યક્તિને મળી, કારણ કે અમે બંને જ અમારી લાઇફને પૂરી ઇમાનદારી સાથે જીવીએ છીએ. મારી સાથે એક એવો જીવન સાથી છે, જેની પાસે કોઇ જ વસ્તુ ખોટી નથી...બધું સાચું છે.'
અનુષ્કાએ આગળ કહ્યું કે, 'હું નથી ઇચ્છતી કે મારી લાઇફની સૌથી સુંદર ક્ષણ જીવતી વખતે મારા દિલમાં કોઇ ડર હોય. જો કોઇ પુરુષને લગ્ન કરવા અને ત્યારબાદ કામ કરતા રહેવાથી ડર લાગતો નથી તો મહિલાઓના મામલે આવું કેમ ના હોવું જોઇએ.'
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બરે ઇટલીમાં એક બીજા સાથે લગ્ન કર્યા હતા. બંને સિતારાઓએ ઘણા રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં બોલીવુડથી લઇને રાજનીતિક જગત સુધીના મહેમાનો સામેલ હતા.