ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ છે કે વર્લ્ડ કપ દરમિયાન પણ ટીમ ઈન્ડિયા એક નહોતી. આ સમાચારને એ સમયે વધુ વેગ મળ્યો જ્યારે રોહિત શર્મા સાથે જોડાયેલી કંઈક એવી વાતો સામે આવી કે જે ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન વિરાટ વચ્ચેના મતભેદો ખુલીને દર્શાવે છે.
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. જેમાં પહેલા જૂથમાં વિરાટ કોહલી તો બીજા જૂથમાં રોહિત શર્મા છે. રોહિત શર્માએ વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માને સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર અનફૉલો કરી દીધા છે. રોહિત શર્મા આ પહેલા જ વિરાટ કોહલીને અનફૉલો કરી ચૂક્યા છે. જો કે વિરાટ કોહલી હજુ પણ રોહિત શર્માને ફૉલો કરી રહ્યા છે. પરંતુ આમાં હવે ટ્વિસ્ટ એટલા માટે આવી ગયો છે કારણકે અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. જો કે આ પોસ્ટમાં તેણે કોઈનુ નામ નથી લીધુ પરંતુ આને રોહિત શર્મા માટે પલટવાર તરીકે માનવામાં આવી રહ્યુ છે.
અનુષ્કા શર્મા કોઈનુ નામ લીધા વિના પોતાના સ્ટેટસમાં લખ્યુ છે કે, ‘એક બુદ્ધિમાન વ્યક્તિએ કંઈ નથી કહ્યુ. માત્ર સત્ય જ છે જે જૂઠના દેખાડામાં નથી પડતુ.' પરંતુ અનુષ્કા શર્માના આ સ્ટેટસને રોહિત શર્મા સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે અને કહેવામાં આવી રહ્યુ છે કે તેણે આના દ્વારા રોહિત શર્માને જવાબ આપ્યો છે. હવે જોવાનુ એ છે કે જૂથબાજી અહી સુધી સીમિત રહી જાય છે કે પછી આગળ પણ વાર પલટવાર જોવા મળશે.
નોંધનીય છે કે અનુષ્કા શર્મા ઈન્સ્ટાગ્રામ પર રોહિત શર્મા અને તેની પત્ની રિતિકા સજદેહને ફૉલો નથી કરતી. રિતિકા સજદેહ પણ વિરાટ અને અનુષ્કા શર્માને ફૉલો નથી કરતી. એ વાત પણ છે કે પહેલા આ લોકો એકબીજાના ફૉલો કરતા હતા કે નહિ એ વાતની પણ માહિતી નથી.