વિરાટ કોહલીને થોડા દિવસો પહેલા જ વન ડે ટીમની કેપ્ટન્સી પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યા પર રોહિત શર્માને આ જવાબદારી આપવામાં આવી છે.
અનુષ્કાએ શેર કરી તસ્વીર
પતિ માટે લખી પોસ્ટ
અનુષ્કા શર્માનો પ્રેમભર્યો સંદેશ
વિરાટ કોહલીને વન ડે ટીમની કેપ્ટન્સીથી હટાવવામાં આવ્યા છે. તેમની જગ્યા પર રોહિત શર્માને ટી20 બાદ વન ડે ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જોકે કોહલી વન ડે ટીમની કેપ્ટન્સી છોડવાના પક્ષમાં ન હતા. તેમણે ટી20ની કેપ્ટન્સી પોતે જ છોડી છે. કોહલી 11 ડિસેમ્બર એટલે કે આજે પોતાની ચોથી એનીવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. તેને લઈને અનુષ્કા શર્માએ એક પ્રેમભર્યો સંદેશ તેને આપ્યો છે તેના પર કોહલીએ પણ શાનદાર રિએક્શન આપ્યું છે.
શું કહ્યું અનુષ્કાએ?
અનુષ્કા શર્માએ લખ્યુ, 'કોઈ રસ્તો સરળ નથી. ઘરમો કોઈ શોર્ટકટ નથી. તમારા ફેવરેટ ગીત અને શબ્દ, જેની સાથે તમે હંમેશા જીતો છો. આ શબ્દ સંબંધ સહિત દરેક વસ્તુ માટે છે. ધારણાઓથી ભરેલી આ દુનિયામાં તમારા જેવા વ્યક્તિ માટે એવું કહેવા માટે સાહસ જોઈએ. ' તેણે આગળ કહ્યું કે જ્યારે મને તેની જરૂર પડી તો મને પ્રેરિત કરવા માટે ધન્યવાદ.
તમે સૌથી સુરક્ષિત વ્યક્તિ
અનુષ્કા શર્માએ કહ્યું કે સમાન વ્યક્તિત્વ વાળાના લોકોના લગ્ન ત્યારે જ સંભવ હોય છે. જ્યારે બન્ને સુરક્ષિત હોય. તમે સૌથી સુરક્ષિત વ્યક્તિ છો. જેવું મે પહેલા કહ્યું, બાગ્યશાળી એ છે જે વાસ્તવમાં તમને ઓળખે છે. પ્રેમ, ઈમાનદાર, પારદર્શિતા અને સન્માન, હંમેશા માર્ગદર્શન કરે છે.
તેના પર વિરાટ કોહલીએ લખ્યું, 'તમે મારી દુનિયા છો '. કેપ્ટન્સીથી હટાવ્યા બાદ અત્યાર સુધી કોહલીની તરફથી કોઈ ઓફિશયલ નિવેદન નથી આપ્યું. ત્યાર બાદ કોહલીએ પણ સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્મા અન દિકરી વામિકાની સાથે એક ફોટો શેર કર્યો છે.