મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલીના કહેવા પર અનુષ્કા એક્ટિંગ છોડવાનું મન બનાવી રહી છે. વિરાટ કોહલી ઇચ્છે છે અનુષ્કા શર્મા વધારેમાં વધારે સમય પરિવારને આપે.એને કોઇ નવો પ્રોજેક્ટ પણ સાઇન કર્યો નથી.
બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા 'ઝીરો'ની રિલીઝ બાદથી ફિલ્મી પડદાથી ગુમ છે. એને કોઇ નવો પ્રોજેક્ટ પણ સાઇન કર્યો નથી. એવામાં અનુષ્કા શર્માના ફિલ્મી કરિયરથી જોડાયેલી તમામ અફવાઓ પણ સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટલમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અનુષ્કા બોલવુડ છોડવાનો પ્લાન કરી રહી છે. આ પાછળ વિરાટ કોહલી છે. કેટલીક અફવાઓમા તો એક્ટ્રેસના પ્રેગનેન્ટની વાત પણ સામે આવી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલીના કહેવા પર અનુષ્કા એક્ટિંગ છોડવાનું મન બનાવી રહી છે. વિરાટ કોહલી ઇચ્છે છે અનુષ્કા શર્મા વધારેમાં વધારે સમય પરિવારને આપે. જ્યાં પ્રેગનેન્સીનો સવાલને અનુષ્કા પહેલા જ એને અફવા કહી ચુકી છે.
હાલ અનુષ્કા શર્મા ફિલ્મી ઇવેન્ટ્સ અથવા પાર્ટીઓમાં ઓછી નજરે આવે છે. એને મોટાભાગે વિરાટ કોહલી સાથે હોલીડે પર અથવા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પતિને પ્રોત્સાહન કરતી જોવા મળે છે.
હાલ અનુષ્કાની પાસે કોઇ નવો ફિલ્મી પ્રોજેક્ટના હોવાની સત્તાવાર જાણકારી સામે આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં શેખર કપૂરની પાની અને સંજય લીલા ભણસાલીના એક અનામ ફિલ્મમાં અનુષ્કાના કામ કરવાની ચર્ચા છે. પરંતુ એક્ટ્રેસ અને મેકર્સ તરફથી એની કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી. નવદીપ સિંહની કેનેડામાં પણ અનુષ્કા શર્માનું કામ કરવાની ચર્ચા છે.
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી સાથે અનુષ્કાએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ અનુષ્કાએ પરી, સંજૂ, સુઇ ધાગા અને ઝીરો ફિલ્મ રિલીઝ થઇ.
મળતી માહિતી અનુસાર અનુષ્કા શર્મા પોતાની ફિલ્મી કરિયરથી નાનો બ્રેક લઇ રહી છે. એનો ખાસ હેતુ પતિ વિરાટ કોહલી સાથે સમય પાસ કરવાનો છે. એમ પણ વર્લ્ડ કપ શરૂ થવાનો છે. એવામાં અનુષ્કા શર્મા પોતાના પતિને સપોર્ટ કરવા ઇચ્છે છે.