અનુષ્કા શર્માએ ઝીરો ફિલ્મ બાદથી બ્રેક લીધો છે, ત્યારબાદ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે એ પ્રેગનેન્ટ છે. તાજેતરમાં અનુષ્કાએ એની પર કડકાઇથી જવાબ આપ્યો છે.
એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં અનુષ્કા શર્માએ કહ્યું કે આવું એટલા માટે પૂછવામાં આવે છે કારણ કે લોકો સતત કંઇક ને કંઇક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એને કહ્યું- એક એક્ટ્રેસ લગ્ન કરે છે તો એને પૂછવામાં આવે છે કે શું તે પ્રેગ્નેન્ટ છે? અને જ્યારે એ કોઇની સાથે ડેટ કરે છે તો લોકો પૂછે છે કે લગ્ન કરવાની છે કે નહીં?
આ બધી બકવાસ વાતો છે. બીજાને એમની લાઇફ જીવવા દેવી જોઇએ. કેમ એવો માહોલ બનાવી દેવામાં આવે છે જ્યાં કોઇ માણસને જબરદસ્તી સ્પષ્ટતા કરવી પડે છે. આ વાત મને સૌથી ખરાબ લાગે છે. શું મારે કંઇ પણ ક્લિયર કરવાની જરૂર છે? નહીં?
અનુષ્કાએ આગળ કહ્યું, 'જે એક્ટ્રેસના પણ લગ્ન થાય છે, બધા માટે કંઇક ને કંઇક કહેવામાં આવે છે. કોઇ કંઇ પણ પહેરી શકે છે પછી એ ભલે ઢીલો ડ્રેસ પહેરે, કારણ કે એ એક ટ્રેન્ડ પણ છે. પરંતુ તે લોકો કહે છે કે એ પ્રેગનેન્ટ છે.તમે એના માટે કંઇ પણ ના કરી શકો. બસ તમે ઇગ્નોર કરી શકો છો.'
તાજેતર જ અનુષ્કા પોતાના નવા પ્રોજેક્ટના શૂટિંગ દરમિયાન સ્પૉટ થઇ. એ દરમિયાન તે ખૂબસુંદર લાગી રહી હતી.