ટીમ ઇન્ડિયાના સાઉથ આફ્રીકા પ્રવાસ પહેલા કપ્તાનીને લઇને મોટો વિવાદ ઉભો થયો છે. વિરાટ અને રોહિત વચ્ચે અણબનાવની ઘટનાઓ સામે આવતી રહે છે. તે વચ્ચે ખેલમંત્રી અનુરાગે નિવેદન આપ્યું છે.
વિરાટ-રોહીત વચ્ચે તૂતૂ-મેંમે?
અનુરાગ ઠાકુરે આપ્યું નિવેદન
સાઉથ આફ્રીકા પ્રવાસને લઇને વિવાદ
અનુરાગ ઠાકુરે શું કહ્યું?
અનુરાગ ઠાકુરે કહ્યું કે ખેલથી મોટું કઇ નથી, તે જ સર્વોત્તમ છે. કોઇ ખેલાડી વચ્ચે શું ચાલી રહ્યું છે તેની જાણકારી હું ન આપી શકું. આ તેનાથી સંબંધિત અસોશિયેશન કે સંસ્થાની જવાબદારી છે. અનુરાગ ઠાકુર પોતે BCCIના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
વિરાટને હટાવવામાં આવ્યો
તમને જણાવી દઇએ કે જ્યારથી વિરાટને વન ડે કપ્તાનીમાંથી હટાવવામાં આવ્યો છે ત્યારથી અલગ અલગ નિવેદન સામે આવ્યા છે. ટી20 વર્લ્ડકપમાં ભારતની હાર થઇ અને તેણે કપ્તાની છોડી દીધી હતી પરંતુ તેનું એલાન કોહલી પહેલા જ કરી ચૂક્યો હતો.
Sports is supreme & nobody is bigger than sports. I can't you give info as to what's going on b/w which players in what game. It's the job of concerned federations/associations. It'll be better if they give info: Sports Min Anurag Thakur when asked about rift b/w 2 BCCI Captains pic.twitter.com/6rn0fhuyRF
સાઉથ આફ્રીકા પ્રવાસને લઇને વિવાદ
મોટો વિવાદ ત્યારે સામે આવ્યો છે જ્યારે BCCIએ સાઉથ આફ્રીકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમનું એલાન કર્યું. તેમાં વિરાટ કેપ્ટન હતો અને રોહીતને ઉપ કપ્તાન બનાવી દીધો હતો. તે વચ્ચે BCCIએ રોહીતને વન ડેનો કેપ્ટન પણ બનાવી દીધો હતો.
કોહલીના રમવા પર પણ સસપેન્સ
આ વિવાદ વધારે ત્યારે વણસ્યો જ્યારે ઇજાના કારણે રોહીત શર્માને ટેસ્ટ સિરીઝથી બહાર થઇ જવું પડ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઇમાં પ્રેક્ટિસ કરતી વખતે રોહીતને ઇજા થઇ છે અને તેને 3 અઠવાડીયા સુધી આરામ કરવાનો કહ્યો છે . ત્યારે અન્ય એક સમાચાર એવા પણ સામે આવી રહ્યાં છે કે વિરાટ કોહલી પણ વન ડે સિરીઝમાંથી આરામ લઇ શકે છે કારણકે તે પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે.