એક્સાઈઝ સ્કેમ મામલે દિલ્હીની કેજરીવાલ સરકાર પર ભાજપે જોરદાર પ્રેશર વધાર્યું છે અને આપ સરકાર પર મોટા પ્રહાર કર્યાં છે.
દિલ્હી દારુ નીતિ મામલે ભાજપે કેજરીવાલ સરકાર પર પ્રેશર વધાર્યું
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના મોટા પ્રહાર
કેજરીવાલ સરકારને બેવડી સરકાર ગણાવી
દારુની આવક 8000 કરોડ રુપિયા ઓછી કેવી રીતે થઈ-ભાજપ
દિલ્હીની નવી દારુ નીતિમાં સામે આવેલા કૌભાંડ મુદ્દે ભાજપે કેજરીવાલ સરકારને બરોબરના સાણસામાં લીધી છે. ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાના ઘેર સીબીઆઈ દરોડા બાદ હવે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સામે આવીને કેજરીવાલ સરકારને આડે હાથ લેતા મોટા પ્રહાર કર્યાં હતા. અનુરાગ ઠાકારે આ મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કેજરીવાલ અને આપ સરકારને બરોબરની સાણસામાં લીધી હતી.
#WATCH | "Manish Sisodia might have now changed the spelling of his name too. Now it is - M O N E Y SHH," says Union Minister Anurag Thakur
CBI officials raided the residence & office of Delhi Deputy CM Manish Sisodia for 14 hours in the Excise policy case, yesterday, August 20. pic.twitter.com/NNFf6xQr88
સિસોદીયા નામ બદલીને M O N E Y SHH કરી નાખે- અનુરાગ ઠાકુર
ત્યાં સુધી કે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હી સરકારને બેવડી સરકાર પણ ગણાવી દીધી હતી. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા પર પ્રહાર કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે મનીષ સિસોદીયાએ તેમના નામનો સ્પેલિંગ પણ બદલી દેવો જોઈએ. હવે સિસોદીયાએ તેમનું નામ બદલીને M O N E Y SHH કરી નાખવું જોઈએ.
દારુની નીતિ સાચી હોય તો શા માટે પાછી ખેંચી- અનુરાગ ઠાકુર
અનુરાગ ઠાકુરે કહ્યું કે મનીષ જી, તો તમારી દારુની નીતિ સાચી હોય તો પછી તમે શા માટે તેને પાછી ખેંચી. આ તો ચોરીની દાઢીમાં તણખલું જેવો ઘાટ થયો. દારુના બિઝનેસમેન માટે શા માટે કુણૂં વલણ દાખવવામાં આવ્યું. મારો અરવિંદ કેજરીવાલને પડકાર છે કે તેઓ રાષ્ટ્રની સામા આવે અને 24 કલાકની અંદર મારા સવાલનો જવાબ આપે.
Manish Ji, if your liquor policy was right, why did you take it back? It's like 'chor ki daadhi mei tinka'... why is there a soft corner for liquor businessmen?... I challenge Arvind Kejriwal to come in front of the nation and answer me within 24 hrs: Union Minister Anurag Thakur pic.twitter.com/smAe0xVlHR
દિલ્હી સરકાર બેવડી સરકાર
અનુરાગ ઠાકુર તો દિલ્હી સરકારને બેવડી સરકાર પણ ગણાવી દીધી. તેમણે કેજરીવાલને સવાલ કર્યો કે દારુની આવક 8000 કરોડ ઓછી કેમ થઈ. ઠાકુરે દિલ્હી સરકારને બેવડી સરકાર પણ ગણાવી દીધી હતી.
AAP should not try to hide excise 'scam' with other issues, its real face unmasked: Union Minister Anurag Thakur at BJP press meet
મનિષ સિસોદિયાના ઘેર 14 કલાક સીબીઆઈ રેડ
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં નવી દારુ નીતિ મામલે સીબીઆઈએ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાના ઘેર 14 કલાકથી પણ વધારે સમય સુધી દરોડા પાડ્યાં હતા. દિલ્હીની નવી એક્સાઈઝ નીતિમાં કૌભાંડ થયું હોવાનો દિલ્હી સરકાર પર આરોપ છે.