બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર અનુરાગ કશ્યપ કોઈપણ મુદ્દે બેબાકીથી પોતાના મત રજૂ કરે છે. તેમના ટ્વિટને લઈને તેઓ ઘણીવાર ચર્ચામાં પણ રહે છે. અનુરાગે ઘણાં સમયે પહેલાં ટ્વિટર છોડી દીધું હતું, પણ થોડાં મહિના પહેલાં જ્યારે સીએએ અને એનઆરસી વિવાદ શરૂ થયો ત્યારે તેમણે ફરી ટ્વિટર પર વાપસી કરી હતી. ત્યારે અનુરાગે સરકાર પર ઘણીવાર નિશાન સાધ્યું હતું. જોકે, તેના માટે તેમને ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા.
કોરોના સંકટમાં મોદી સરકાર પર સાધ્યું નિશાન
બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટરને સતાવી રહી છે ડોક્ટર્સ ચિંતા
પોતાના વિવાદાસ્પદ ટ્વિટથી ટ્રોલ થઈ ચૂક્યા છે અનુરાગ
જનતા કર્ફ્યૂ બાદ પીએમ મોદીએ 5 એપ્રિલની રાતે 9 વાગ્યે 9 મિનિટ માટે દીવો પ્રગટાવાની અપીલ કરી હતી. જોકે, બોલિવૂડ જગતથી લઈને દિગ્ગજ નેતાઓ પણ દીવા પ્રગટાવ્યા હતા. જેના કારણે પણ આ ઈવેન્ટની ખૂબ ચર્ચા થઈ હતી.
देश को Corona से बचाने के लिए सबसे ज़रूरी है ,कि हमारे डॉक्टर और नर्सेज़ और सभी स्वास्थ्य कर्मचारी सेहतमंद और सुरक्षित रहें ।उन्हें कुछ हो गया ना तो फिर थाली बजाओ या दिया जलाओ, या जो भी अगला programme करो ।अंत निश्चित है । #DocsNeedGear#TestKaroNa
ત્યારે ફિલ્મમેકર અનુરાગે મોદીજીની આ બંને ઈવેન્ટ પર પોતાનો મત રજૂ કર્યો અને ટ્વિટ કરીને કહ્યું- દેશને કોરોનાથી બચાવવા માટે ડોક્ટર્સ અને નર્સોનું સ્વસ્થ અને સુરક્ષિત રહેવું ખૂબ જ જરૂરી છે. જો તેમને કંઈ થઈ ગયું તો તમે થાળી વગાડો કે દીવો પ્રગટાવો અથવા કોઈપણ આગામી પ્રોગ્રામ કરો. અંત નિશ્ચિત છે.
અનુરાગ કશ્યપે ટ્વિટમાં હેશ ટેગ #DocsNeedGear #TestKaroNaને ટ્વિટ સાથે એડ કર્યું છે. તમને જણાવી દઈએ કે, દેશના ડોક્ટર્સ અત્યારે ખૂબ જ ગંભીર સ્થિતિમાં કામ કરી રહ્યાં છે. ડોક્ટર્સ પાસે માસ્ક અને અન્ય જરૂરી વસ્તુઓ પણ ઉપલબ્ધ ન હોવાના સમાચાર પણ વાયરલ થઈ રહ્યાં છે. અનુરાગ કશ્યપની આ ટ્વિટ એ જ તરફ ઈશારો કરે છે.