જાણીતા ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ હંમેશા સરકાર પર પ્રહાર કરવા માટે જાણીતા છે. સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહેતા અનુરાગ ખુલીને પોતાની વાત જાહેરમાં મુકતા હોય છે અને CAAનાં વિરોધમાં સરકાર પર આકરા પ્રહાર માટે પણ અનુરાગ કશ્યપ ખુબ ચર્ચાનો વિષય બન્યા હતા ત્યારે અમિતાભ બચ્ચનનાં એક ટ્વીટ પર કોમેન્ટ કરીને અનુરાગ કશ્યપ ફરીથી વિવાદમાં આવ્યા છે. જોકે CAAનાં હિંસક પ્રદર્શન બાદ પણ ઘણા સિતારાઓ મૌન ધારણ કરેલ છે.
અનુરાગ કશ્યપનાં કટાક્ષ બાદ સોશિયલ મીડિયામાં હોબાળો
સરકાર પર આકરાં પ્રહાર માટે અનુરાગ કશ્યપ જાણીતા
ટ્વીટર પર ફોલોઅર્સ ઓછા થવાની કરી ફરિયાદ
T 3592 - नया साल आने में बस कुछ ही दिन बाक़ी हैं ; ज़्यादा परेशान होने की बात नहीं है , बस .... 19-20 ( उन्नीस बीस ) का ही फ़र्क़ है 🤣🤣
હાલમાં જ નવા વર્ષ મુદ્દે સોશિયલ મીડિયામાં બીગ બી અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું જે બાદ અનુરાગ કશ્યપે તેમના મૌન પર કટાક્ષ કર્યો છે. આડકતરી રીતે કરવામાં આવેલ આ હુમલાની સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચા થઇ રહી છે. સાથે અનુરાગ કશ્યપે નામ લીધા વગર CAA અને NRCનો મુદ્દો ઉઠાવ્યો છે.
इस बार फ़र्क़ उन्नीस बीस का नहीं है सर, इस बार फ़र्क़ बहुत बड़ा है । फ़िलहाल आप कृपया अपनी सेहत का ख़याल रखें ।अपने हिस्से का आपने ७० के दशक में ही कर दिया था , तबसे अपने अंदर का बच्चन हम अपने अंदर ले के घूम रहें हैं । इस बार सामने गब्बर हो या LION या फिर शाकाल ....हम भी देखेंगे https://t.co/Iv0h3hPrJI
બીગ બીએ ટ્વીટ કર્યું કે 'નવું વર્ષ આવવામાં હવે અમુક જ દિવસ બાકી છે. હેરાન થવાની જરુર નથી બસ 19-20નો જ ફર્ક છે.' અમિતાભ બચ્ચનનાં આ ટ્વીટ પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા ત્યારે અનુરાગ કશ્યપે બેધડક રીતે પોતાની જે પ્રતિક્રિયા મૂકી તે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
અનુરાગ કશ્યપે ટ્વીટ કરીને લખ્યું આ વખતે 'માત્ર 19-20નો ફરક નથી બહું મોટો ફરક છે. જોકે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમે તમારા ભાગનું 70નાં દાયકામાં જ કરી લીધું ત્યારથી પોતાની અંદરનો બચ્ચન અમે પોતાની અંદર જ લઈને ફરી રહ્યા છે. આ વખતે સામે ગબ્બર હોય કે શાકાલ અમે જોઈ લઈશું.'
નોંધનીય છે કે સોશિયલ મીડિયામાં અનુરાગ કશ્યપ ખુબ એક્ટિવ રહે છે. તેમના ટ્વીટ વિવાદનો વિષય બની જાય છે. દેશમાં CAAનાં વિરોધમાં સતત ચર્ચામાં છે. આ દરમિયાન તેમણે ટ્વીટર પોતાના ફોલોઅર્સ ઓછા થવાની વાત પણ કહી હતી. અનુરાગનાં ટ્વીટર પર પાંચ લાખ ફોલોઅર્સ હતા હવે માત્ર 76 હજાર જ વધ્યા છે. આ વાત સ્વીકાર કરતા તેમણે એક સ્ક્રીનશોટની સાથે ટ્વીટ કર્યું કે ટ્વીટરે મારા ફોલોઅર્સ ખુબ ઓછા કરી નાખ્યા છે. જે બાદ ઘણા લોકોએ અનુરાગને કહ્યું કે આપોઆપ ઘણા યુઝર્સ અનફોલો થઇ ગયા છે.