ફિલ્મ મેકર અને પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ દરેક મુદ્દાઓ પર પોતાનો મતવ્ય મૂકતા હોય છે. આ જ કારણે ઘણી વખત ટ્રોલ્સના નિશાના પર આવી જાય છે. આ વખતે ટ્રોલર્સે અનુરાગ કશ્યપના દિકરીના રેપની ધમકી આપી છે અને અપશબ્દો બોલ્યા છે.
અનુરાગ કશ્યપે ટ્વીટ કરીને જાણકારી આપી કે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સવાલ કર્યો કે, 'કઇ રીતે આવા લોકોને જવાબ આપવો?'
અનુરાગ કશ્યપને એક ટ્વિર પર યૂઝરનો સ્ક્રીન શૉટ પર શૅર કર્યો છે, જેમા તેની દિકરીને અપશબ્દો પણ બોલવામાં આવ્યા છે. અનુરાગે લખ્યુ કે, ''પ્રિય નરેન્દ્ર મોદી સર, આપને જીત માટે શુભેચ્છા. સર કૃપ્યા મને જણાવો કે આપનાં આ ફોલોર્સને કેવી રીતે ડિલ કરવા જોઇએ. આપનો વિરોધી હોવાને કારણે તેઓ મારી દીકરીને આ પ્રકારનાં મેસેજ કરે છે.''
કહેવાય છે કે, મોદીના સમર્થક છે જેમના ટ્વિટર એકાઉન્ટ પરથી આ ટ્વીટ કરવામાં આવ્યુ છે જેના પછી યૂઝર્સ કેમેન્ટ કરવા લાગ્યા કે, મોદી સમર્થકે કમેન્ટ કરી છે કે તે PM મોદીને સપોર્ટ કરે છે પણ તેનો અર્થ નથી કે તે આવી નિમ્મન (રેપની ધમકી) કક્ષાની ધમકીઓને સમર્થ કરે. આ ટ્વિટ પર સાઉથની પ્રખ્યાત સિંગર ચિન્મયી શ્રીપદાએ કમેન્ટ કરી છે કે ચિન્મયીએ લખ્યુ છે કે, આવા લોકોની સરખામણી જાનવર સાથે કરવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે, અનુરાગ કશ્યપ ઘણી વખત મોદી સરકારની વિરોધમાં બોલતા આવ્યા છે, લોકસભા ચૂંટણીમાં પહેલા પણ અનુરાગના ટ્વીટ ચર્ચાનો વિષય રહ્યો હતો.
વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો અનુરાગ કશ્યપ હાલમાં ફિલ્મ 'સાંડ કી આંખ'માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને તાપસી પન્નુ લીડ રોલમાં જોવા મળશે.