મિર્ઝાપુર વેબ સીરીઝના બીજા સીઝનની બધા ચાહકો બે વર્ષથી રાહ જોઈ રહ્યા હતા અને જે 22મી ઓક્ટોબરે સમાપ્ત થઇ. સોશ્યલ મીડિયા પર પણ વર્તમાનમાં આ વેબ સીરીઝની ભારે ચર્ચા છે. મોટા ભાગનાં ચાહકૉને મિર્ઝાપુર પસંદ આવી છે જોકે હવે તેનો વિરોધ પણ શરુ થઇ ગયો છે.
બે વર્ષ બાદ રિલીઝ થયું મિર્ઝાપુરનું બીજું સીઝન
મિર્ઝાપુરની સાંસદે તપાસની કરી માંગ
પીએમ મોદી અને યોગી આદિત્યનાથ સમક્ષ ફરિયાદ કરી
ઉત્તર પ્રદેશનાં મિર્ઝાપુરથી સાંસદ અનુપ્રીયા પટેલે આ વેબ સીરીઝને હિંસક બતાવતા કહ્યું કે તેના વિરુદ્ધ તપાસ થવી જોઈએ. તેમણે સોશ્યલ મીડિયાના માધ્યમથી વડાપ્રધાન મોદી અને યોગી આદિત્યનાથને આ સીરીઝ સામે તપાસ કરવા માંગ કરી છે.
અનુપ્રિયા પટેલે ટ્વિટ કરીને કહ્યું, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તેમજ યોગી આદિત્યનાથના નેતૃત્વમાં મિર્ઝાપુર વિકાસરત છે અને આ સમરસતાનું કેન્દ્ર છે. મિર્ઝાપુર નામક વેબસીરીઝના માધ્યમથી તેને હિંસક વિસ્તાર બતાવી બદનામ કરવામાં આવી રહ્યું છે. આ સીરીઝના માધ્યમથી જાતિગત વૈમનસ્ય ફેલાવવામાં આવી રહ્યું છે. અનુપ્રિયાએ કહ્યું કે મિર્ઝાપુરની સાંસદ હોવાના નાતે મારી માંગ છે કે તેની તપાસ થવી જોઈએ અને તેની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.
નોંધનીય છે કે 22 ઓક્ટોબરના રોજ આ સીરીઝ રિલીઝ થઇ છે. સીરીઝમાં પંકજ ત્રિપાઠી, શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ, અલી ફઝલ જેવા કલાકારો છે. આ વખતે કેટલાક કલાકરો હિસ્સો બન્યા છે.