ટીવી શો અનુપમામાં તમે અત્યાર સુધી જોયુ હશે કે અનુપમા અનુજને પોતાના પ્રેમનો એકરાર કરી ચૂકી છે. પરંતુ આ પ્રેમ કહાનીમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ સામે આવવાની છે અને અનુજ અને અનુપમાના જીવનનો સૌથી મોટો વિલન વનરાજ આગામી સમયમાં આ બંનેનુ જીવવાનુ હરામ કરી શકે છે.
'અનુપમા' સિરિયલમાં અનુપમાએ અનુજને કર્યો પ્રેમનો એકરાર
તો શું હવે અનુજ-અનુપમાના જીવનનો સૌથી મોટો વિલન વનરાજ બનશે?
જાણો સિરિયલમાં હવેના એપિસોડમાં કેવો માહોલ ગરમાશે
લગ્ન નહીં કરે અનુપમા
આજના એપિસોડમાં તમે જોઈ શકશો કે વનરાજ અનુપમાને કટાક્ષ મારશે કે તેનો બોયફ્રેન્ડ હવે રસ્તા પર આવી ગયો છે. પરંતુ અનુપમા તેને ખૂબ સંભળાવે છે. તે કાવ્યાને પૂછવા લાગે છે કે શું વનરાજે તેને ક્યારેય પ્રેમ કર્યો? બા અનુપમાને કહેશે કે સમાજના કટાક્ષથી બચવા માટે તે લગ્ન કરી લે પરંતુ અનુપમા બાની વાતનો વિરોધ કરશે. અનુપમા સમાજના કાયદા પર પણ આંગળી ઉઠાવશે અને આ સાથે જણાવશે કે તે સમાજના દબાણમાં આવીને લગ્ન નહીં કરે અને આ વાત પર બાપુજી પણ તેનો સાથ આપશે.
બ્રેકઅપ અંગે જણાવશે સમર
અનુપમા સમરને પૂછશે કે ઘરમાં શું ચાલી રહ્યું છે? જેની પર સમર જણાવશે કે નંદિની તેને છોડીને જતી રહી છે. અનુપમા પોતાના પુત્રને સંભાળશે અને આ સાથે તે પોતે પણ રડવા માડશે. અનુપમા કહેશે કે સમર હવે પોતાના વિશે વિચારે અને પોતાને પ્રેમ કરે. અનુપમા અને સમર વાતચીત કરી રહ્યાં હશે કે અનુજ ત્યાં આવી જશે. અનુજ કહેશે કે જ્યાં સુધી તે તેના ડાન્સની માર્કેટીંગ અને પ્રમોશન નહીં કરી લે ત્યાં સુધી પોતાનું કામ શરૂ નહીં કરે.
વનરાજ-અનુપમાની લડાઈ
આવનારા એપિસોડમાં તમે જોઈ શકશો કે પાખીની વાતો પરિવારની સામે ખુલીને આવશે અને ઉલટાનું પાખી ગુસ્સી થશે. આ બધાનું ઠીકરું વનરાજ અનુપમા પર ફોડી દેશે. પરંતુ એક વખત અનુપમા વનરાજને જડબાતોડ જવાબ આપશે. બીજી તરફ અનુજ સમરને બ્રેકઅપના ડિપ્રેશનમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરશે.