સૂત્રોના જણાવ્યા અનુસાર અરશદ વારસી, વરુણ બડોલા અને રોનિત રોયનું નામ ચર્ચામાં છે. જો રોનિત અને મેકર્સ વચ્ચે વાત બને છે તો જલ્દી જ અનુપમાના જીવનમાં રોનિતની એન્ટ્રી થશે.
નવા વ્યક્તિની થશે એન્ટ્રી
સૂત્રોનું જો માનીએ તો આ નવો શખ્સ અનુપમાના બાળપણનો મિત્ર હશે. જો કે આ દોસ્તી ઉંમર સાથે પ્રેમમાં પરિણમશે કે નહી તે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી. કાવ્યા અને વનરાજના સ્વભાવમાં બદલાવથી અનુપમાને આ વ્યક્તિનો સહારો મળશે.
કાવ્યા થશે પ્રેગનેન્ટ
થોડા દિવસ પહેલા શોના પ્રોડ્યુસર રાજન શાહીએ કહ્યું હતુ કે તે ઇચ્છતા હતા કે રામ કપૂર શોનો હિસ્સો બને પરંતુ તેવું થઇ શક્યુ નહી અને તેની જગ્યાએ અપૂર્વ અગ્નિહોત્રીએ શોમાં એન્ટ્રી મારી હતી. આવનારા સમયમાં કાવ્યાને પ્રેગનેન્ટ બતાવવામાં આવશે તેવી વાત પણ સામે આવી છે.
કાવ્યાએ જુદો કર્યો પરિવાર
કાવ્યાએ જ્યારથી વનરાજ સાથે લગ્ન કર્યા ત્યારથી ઘરમાં ઝઘડાનો માહોલ થઇ ગયો છે અને રોજ તે શાહ પરિવારના સદસ્યોને અંદરોઅંદર ઝઘડાવી રહી છે. ઘર જુદુ કરાવ્યુ અને હવે કાવ્યા ખર્ચો પણ જુદો કરવા માટે કહી રહી છે.
વનરાજ કરશે અનુપમાને રિકવેસ્ટ
શોમાં કાવ્યા કિંજલને ફોસલાવીને પોતાની સાથે બહાર લઇ જાય છે. કિંજલ પણ કાવ્યાની જેમ મોડી રાત સુધી ઘરે નથી આવતી અને ઘરે આવ્યા બાદ બધા સાથે ઝઘડા કરે છે. અનુપમા પણ કિંજલના આ વર્તનથી હેરાન થઇ જાય છે. ત્યારે વનરાજ અનુપમાને રિકવેસ્ટ કરે છે કે તે કિંજલને સમજાવે જેથી તે બીજી કાવ્યા ન બની જાય.
કિંજલ માગશે માફી
પરેશાન અનુપમા ભગવાનને પ્રાર્થના કરશે કે તેનો અને કિંજલનો સંબંધ પહેલાની જેમ મજબૂત થઇ જાય અને આવનારા એપિસોડમાં કિંજલને પોતાની ભૂલનો અહેસાસ થઇ જાય છે, બાદમાં તે અનુપમાની માફી માંગી લેશે.