અનુપમા એક સીધી સાદી ગુજરાતી વહુ કે જેના માટે તેનો પરિવાર જ તેની દુનિયા હતો પરંતુ તેના પતિને ઓફીસની કલિગ કાવ્યા સાથે આડા સંબંધો હતા જેને લઇને શોમાં સૌથી મોટો ટ્વિસ્ટ આવ્યો અને અનુપમાએ વનરાજ સાથે છૂટાછેડા લઇ લીધા તેમજ કાવ્યા સાથે લગ્ન કરી લીધા.
કાવ્યાએ જુદો કર્યો પરિવાર
કાવ્યાએ જ્યારથી વનરાજ સાથે લગ્ન કર્યા ત્યારથી ઘરમાં ઝઘડાનો માહોલ થઇ ગયો છે અને રોજ તે શાહ પરિવારના સદસ્યોને અંદરોઅંદર ઝઘડાવી રહી છે. ઘર જુદુ કરાવ્યુ અને હવે કાવ્યા ખર્ચો પણ જુદો કરવા માટે કહી રહી છે.
વનરાજ કરશે અનુપમાને રિકવેસ્ટ
શોમાં કાવ્યા કિંજલને ફોસલાવીને પોતાની સાથે બહાર લઇ જાય છે. કિંજલ પણ કાવ્યાની જેમ મોડી રાત સુધી ઘરે નથી આવતી અને ઘરે આવ્યા બાદ બધા સાથે ઝઘડા કરે છે. અનુપમા પણ કિંજલના આ વર્તનથી હેરાન થઇ જાય છે. ત્યારે વનરાજ અનુપમાને રિકવેસ્ટ કરે છે કે તે કિંજલને સમજાવે જેથી તે બીજી કાવ્યા ન બની જાય.
કિંજલ માગશે માફી
પરેશાન અનુપમા ભગવાનને પ્રાર્થના કરશે કે તેનો અને કિંજલનો સંબંધ પહેલાની જેમ મજબૂત થઇ જાય અને આવનારા એપિસોડમાં કિંજલને પોતાની ભૂલનો અહેસાસ થઇ જાય છે, બાદમાં તે અનુપમાની માફી માંગી લેશે.