ધ કશ્મીર ફાઈલ્સને પોતાના શોમાં પ્રમોટ ન કરવા અંગે કપિલ શર્મા પર ઘણા આરોપો લાગ્યા છે. જુઓ અભિનેતા અનુપમ ખેર આ બાબતે શું કહે છે.
અનુપમ ખેર જણાવે છે કપિલ પર લાગેલા આરોપોની હકીકત
કપિલે અનુપમ ખેરને કહ્યું - થેંક્યૂ
ટ્રોલિંગ પર કપિલે આપ્યો જડબાતોડ જવાબ
કપિલ શર્મા પર લાગ્યા આરોપો
હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સને લઈને કપિલ શર્મા પર આરોપ લાગ્યા હતા કે આ ફિલ્મમાં કોઈ સ્ટાર ન હોવાથી તેમણે પોતાના શો ધ કપિલ શર્મા શોમાં આ ફિલ્મના પ્રમોશનને થવા દીધું ન હતું. હવે આ બાબતે અનુપમ ખેર પણ એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા જોવા મળ્યા. જુઓ તેઓ કપિલ પર લાગેલા આ આરોપો વિષે શું કહે છે.
અનુપમ ખેર જણાવે છે કપિલ પર લાગેલા આરોપોની હકીકત
ધ કશ્મીર ફાઈલ્સ સ્ટાર અનુપમ ખેર એક ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે ધ કપિલ શર્મા શોમાં ધ કશ્મીર ફાઈલ્સને પ્રમોટ કરવા માટે 2 મહિના પહેલા ઇનવાઈટ કરવામાં આવ્યા હતા. પરંતુ ફિલ્મ ખૂબ જ ઘમ્ભીર મુદ્દા પર બની છે, એટલે તે શોનો હિસ્સો બનવા માંગતા ન હતા.
ઇન્ટરવ્યૂમાં અનુપમ ખેરને પૂછવામાં આવ્યું કે કપિલ શર્મા હો એક કોમેડી શો છે, શું તમને લાગે છે કે તે માહોલ આટલો ગંભીર મુદ્દો ડિસ્કસ કરવા માટે યોગ્ય છે? આ સવાલ પર અનુપમ ખેર કહે છે કે ઈમાનદારીથી કહું, તો મને શો તરફથી કોલ આવ્યો હતો, પરંતુ મેં પોતાના મેનેજરને કહ્યું હતું કે આ ફિલ્મ ગંભીર છે, હું આ શોમાં ન જઈ શકું. અનુપમ ખેર આગળ કહે છે કે હું અહી પોતાની વાત રાખવા માંગુ છું કે આ બે મહિના પહેલાની વાત છે. મને કહેવામાં આવ્યું હતું કે તમે શો પર આવી જાઓ. મને લાગ્યું કે એ એક ફની શો છે અને હું ત્યાં પહેલા ગયો છું. ફની શો કરવો ખૂબ જ અઘરું કામ છે.
અનુપમ ખેર સ્પષ્ટ કરે છે કે કપિલ શર્મા શોમાં તેમને ઇનવાઈટ કરવામાં આવ્યા હતા, પરંતુ ફિલ્મનો મુદ્દો ઘમ્ભીર હોવાથી તેમને આ ફિલ્મને ધ કપિલ શર્મા શો પર પ્રમોટ કવિ ઠીક ન લાગી.
પોતાના ઉપર લાગેલા આરોપોની હકીકત દુનિયા સામે રાખવા માટે કપિલ શર્માએ અનુપમ ખેરને ધન્યવાદ પાઠવ્યા છે. કપિલે ઇન્ટરવ્યૂનો વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે થેંક્યૂ પાજી અનુપમ ખેર મારા વિરુદ્ધનાં બધા જ ખોટા આરોપો ક્લિયર કરવા માટે, તથા તે મિત્રોને પણ ધન્યવાદ, જેમણે હકીકત જાણ્યા વગર પણ મને પ્રેમ આપ્યો.
ટ્રોલિંગ પર કપિલે આપ્યો જડબાતોડ જવાબ
यह सच नहीं है rathore साहब 😊 आपने पूछा इसलिए बता दिया, बाक़ी जिन्होंने सच मान ही लिया उनको explanation देने का क्या फ़ायदा. Just a suggestion as a experienced social media user:- never believe in one sided story in today’s social media world 😊 dhanyawaad 🙏 https://t.co/pJxmf0JlN5
હાલમાં જ એક યૂઝરે કપિલ શર્મા પર આરોપ લગાવતા સવાલ કર્યો હતો કે તેઓ કશ્મીર ફાઈલ્સને પ્રમોટ કરવાથી શા માટે ડરી ગયા? સોશિયલ મીડિયા પર થઇ રહેલ ટ્રોલિંગ તથા યુઝરનાં સવાલ પર કપિલે ખૂબ જ પ્રેમથી જવાબ આપ્યો હતો. કપિલે યૂઝરનાં ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું હતું કે -આ સત્ય નથી રાઠોર સાહેબ. તમે પૂછ્યું એટલે જણાવ્યું, બાકી જે લોકોએ સત્ય માંની લીધું છે, તેમને કંઈ પણ કહેવાનો શું ફાયદો? એક અનુભવી સોશિયલ મીડિયા યૂઝર હોવાથી એક સલાહ આપું છું કે આજનાં સોશિયલ વર્લ્ડમાં ક્યારેય પણ એક સાઈડની સ્ટોરી પર વિશ્વાસ ન કરતા. ધન્યવાદ
કશ્મીરી પંડિતોનાં નરસંહારની સ્ટોરી
ફીલ્મની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર તથા તેમની સાથે થયેલા અન્યાય વિષે છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા પોતાના દિલની વાત સોશિયલ મીડિયા પર લખી છે.
કંગનાએ સાધ્યો બોલિવુડ પર નિશાનો
કંગના રનૌતે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે, કૃપા કરીને ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈને ફિલ્મ ઈંડસ્ટ્રીનાં આ પિન ડ્રોપ સાઈલન્સને નોટિસ કરો. આ ફિલ્મનું ન માત્ર કન્ટેન્ટ પરંતુ બીઝનેસ પણ ખૂબ જ શાનદાર રહ્યો છે. આ ફિલ્મનું ઇન્વેસ્ટમેંટ અને પ્રોફિટ એક એવી કેસ સ્ટડી બની શકે છે કે આ ફિલ્મ વર્ષની સૌથી સફળ અને લાભદાયક ફિલ્મ રહેશે.
ધ કશ્મીર ફાઈલ્સ જીતી રહી છે દર્શકોના દિલ
ફિલ્મ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વિવેક અનીહોત્રી આજકાલ પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. કશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ લોકોના દિલ જીતી રહી છે. લોકોની ભાવનાઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી પરંતુ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. પરંતુ હવે વિવેક અગ્નિહોત્રીએ આ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે અને સાથે જ સરકાર તરફથી પણ સમર્થન મળ્યું છે