બોલીવુડ એક્ટર અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર એવા કલાકારોને આડેહાથે લીધા છે, જેમણે તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીને વોટ ન કરવાની અપીલ કરી છે. અનુપમે ટ્વીટમાં લખ્યું કે, આપણા જ સમાજના ઘણા લોકોએ પત્ર લખીને આગામી ચૂંટણીમાં વર્તમાન સરકારને વોટ ન આપવાની અપીલ કરી છે જેને જનતાએ પોતે બંધારણના રીતરિવાજથી પસંદ કરી છે.
અનુપમ ખેરે વધુમાં લખ્યું કે, ''બીજા શબ્દોમાં કહેવામાં આવે તો આ લોકો એક રીતે વિપક્ષ માટે કેમ્પેઈનિંગ કરી રહ્યાં છે. સારું છે, હવે તેઓ દેખાડો તો નથી કરતાને''. મહત્વનું છે કે તાજેતરમાં જ બોલીવુડ એક્ટર નસીરુદ્દીન શાહ સહિત થિયેટર અને કળા સાથે જોડાયેલી 600 હસ્તીઓએ BJPને વોટ ન આપવાની અપીલ કરી હતી.
So some people from my fraternity have issued a letter for public to vote out the present constitutionally elected government in the coming elections. In other words they are officially campaigning for opposition parties. Good!! At least there are no pretensions here. Great. 🙏 pic.twitter.com/gqnZBGNdKa
અપીલ કરતા લખ્યુ કે, ''વોટ કરો પરંતુ ભાજપ અને તેમના સહયોગીને સત્તાથી બહાર કરો.'' અપીલ કરનારવાળામાં અમોલ પાલેકર, નસીરૂદ્દીન શાહ, ગિરીશ કર્નાડ, એમકે રૈના અને ઉષા ગાંગુલી જેવી ચર્ચિત હસ્તીઓને શામેલ છે. આ તમામ હસ્તીઓને કહ્યુ કે, ''ભાજપને વોટ ના કરો.''
શું છે આ પત્રમાં?:
પત્રમાં કહેવામાં આવ્યું છે, "આગામી લોકસભા ચૂંટણી દેશના ઈતિહાસની સૌથી વધુ ગંભીર ચૂંટણી છે. આજે ગીત, નૃત્ય તથા હાસ્ય જોખમમાં છે. આપણું ન્યાયતંત્ર જોખમમાં છે. સરકારે તે તમામ સંસ્થાઓનો ગળા દબાવી દીધા છે, જ્યાં તર્ક, દલીલ તથા અસહમિત છે. કોઈ પણ લોકતંત્રને સૌથી નબળા તથા સૌથી વધુ વંચિત લોકોને સશક્ત બનાવવા જોઈએ.
કોઈ પણ લોકતંત્ર સવાલ વગર, દલીલ તથા સજાગ વિપક્ષ વગર કામ કરી શકે નહીં. આ તમામને હાલની સરકારે પગ તળે કચડી નાખ્યા છે. તમામ લોકો ભાજપને સત્તામાંથી બહાર કરવા માટે વોટ કરે. બંધારણનું રક્ષણ કરો તથા કટ્ટરતા, ધૃણા અને નિષ્ઠુરતાને સત્તામાંથી બહાર કરો."