બોલિવૂડ એક્ટર અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ઘણાં જ એક્ટિવ રહે છે. ક્યારેક વીડિયો તો ક્યારેય કવિતાઓ શેર કરી તઓ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. આવો જ હાલ તેમના એક હમણાં જ પોસ્ટ કરેલાં વીડિયોને કારણે થઈ રહ્યો છે. હકીકતમાં અનુપમ ખેરે ટ્વિટર પર CAA અને NRC અંગે એક વીડિયો શેર કર્યો છે.
CAA અને NRC પર અનુપમ ખેરે કરી ટિપ્પણી
એક વીડિયો શેર કરીને અનુપમે કહી આ વાત
વીડિયો થઈ રહ્યો છે વાયરલ
આ વીડિયોમાં અનુપમ ખેર કહે છે મારા દેશની કેટલીક મહાન હસ્તીઓ ધન્ય છે. તેમને 72 વર્ષથી ટ્રાફિકના નિયમો સમજાઈ રહ્યા નથી, ખુલ્લામાં શૌચ ન કરો એ શીખવવા માટે અબજોની જાહેરાત કરવી પડે છે. જીએસટી ત્રણ વર્ષથી સમજાતું નથી, પરંતુ નાગરિકતા સુધારો કાયદો બે દિવસમાં સમજાઈ ગયો છે.
कभी कभी कुछ लोगों को समझाना ज़रूरी कि जो वो समझ रहे है या समझने की ऐक्टिंग कर रहें या लोगों को समझाने की कोशिश कर रहे है वो बिल्कुल ग़लत है। मेरा मतलब CAA और NRC से है। आप तो समझ गए ना!! जय हो!! 🙏🤓 #shareitpic.twitter.com/DRAqMkn4Tg
અનુપમે કહ્યું લોકોને સીએએ અને એનાઆસી વિશે સમજાવવાની જરૂર નથી
અનુપમ ખેરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સાથે જ લોકો તેના પર કમેન્ટ પણ કરી રહ્યાં છે. વીડિયોમાં તેમણે કહ્યું કે, કમાલની વાત તો એ છે, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશિપમાં આવતા પહેલા લોકો તેને સમજી ગયા હતા. આપણે લોકોને શીખવવું પડશે કે શું સાચું છે અને શું ખોટું.
કેટલીકવાર કેટલાક લોકોને સમજાવવું જરૂરી છે કે તેઓ જે સમજી રહ્યા છે અથવા સમજવાની એક્ટિંગ કરી રહ્યા છે અથવા લોકોને સમજાવવા પ્રયાસ કરી રહ્યા છે તે એકદમ ખોટું છે. મારો મતલબ સીએએ અને એનઆરસીથી છે. તમે બરાબર સમજી ગયા ને, જય હો.
તમને જણાવી દઈએ કે, તેઓ ઘણીવાર સમકાલીન મુદ્દાઓ પર પણ તેમના મંતવ્યો રજૂ કરે છે. ઘણી વખત તેમનું ટ્વિટ જોરદાર વાયરલ પણ થાય છે. તાજેતરમાં અનુપમ ખેર ફિલ્મ 'વન ડે' માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અભિનેત્રી ઇશા ગુપ્તા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. અગાઉ અનુપમ ખેર ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડોક્ટર મનમોહન સિંહના જીવન પર બનેલી ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'માં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.