બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે એક વાતચીત દરમિયાન બૉયકોટ ટ્રેન્ડ પર ખુલીને વાત કરી હતી. આમિર ખાન સ્ટારર ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' પર નિશાન સાધતા તેમણે કહ્યું કે સારી ફિલ્મો પોતે જ ચાલવા માટે પોતાનો રસ્તો શોધી લે છે.
બૉયકોટ ટ્રેન્ડ પર અનુપમ ખેરનું નિવેદન
કહ્યું- સારી ફિલ્મો ચાલવાનો રસ્તો શોધી લે છે
તમે સીધી રીતે કહી દો તમારી ફિલ્મ લોકોને પસંદ ન આવી
આમિર ખાનની લાલ સિંહ ચડ્ઢા રિલીઝ થઈ ત્યારથી બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન ન કરી શકી. આ ફિલ્મે અત્યાર સુધી માંગ માંડ 50 કરોડનો આંકડો પાર કર્યો છે. હવે એવામાં બોલિવૂડ અભિનેતા અને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત અનુપમ ખેરે એક વાતચીત દરમિયાન બૉયકોટ ટ્રેન્ડ પર ખુલીને વાત કરી હતી. આમિર ખાન સ્ટારર ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' પર નિશાન સાધતા તેમણે કહ્યું કે સારી ફિલ્મો પોતે જ ચાલવા માટે પોતાનો રસ્તો શોધી લે છે.
"તમે એમ કેમ નથી કહી શકતા કે ફિલ્મ લોકોને પસંદ નથી આવી"
ANI સાથે વાત કરતા અનુપમ ખેરે જણાવ્યું કે, જો ફિલ્મ લોકોને પસંદ આવી રહી હોય તો બૉયકોટ ટ્રેન્ડથી તેને કોઈ ફેર ન પડ્યો હોત. અભિનેતાએ કહ્યું, 'બૉયકોટ ટ્રેન્ડની વાત ચાલી રહી છે. ટ્વીટર અને સોશિયલ મીડિયા પર આવા ટ્રેન્ડ અવારનવાર ચાલે છે. અચાનક ફિલ્મને આટલું મહત્વ કેમ આપવામાં આવે છે? તમે એવું કેમ ન કહી શકો કે લોકોને તમારી ફિલ્મ પસંદ નથી આવી? આ પહેલીવાર નથી જ્યારે કોઈ ફિલ્મ નિષ્ફળ ગઈ હોય. હું એ માનવા તૈયાર નથી કે ટ્રેન્ડ ફિલ્મને અસર કરી શકે છે.'
આમિર ખાને જોઈ છે ધ કાશ્મીર ફાઈલ્સ?
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ 'લાલ સિંહ ચઢ્ઢા' જોવાનું આયોજન કરી રહ્યા છે? આના પર અભિનેતાએ જવાબ આપ્યો, 'મને અત્યારે જોવાનું મન નથી થતું, તેની પાછળ કોઈ કારણ નથી. મને જ્યારે મન થશે ત્યારે હું જોઈશ, પણ હું પૂછવા માંગુ છું કે શું આમિર ખાને 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોઈ છે?
શિમલામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખેરે કહ્યું કે દરરોજ ઘણા ટ્રેન્ડ ચાલી રહ્યા છે. મને નથી લાગતું કે કોઈ ફિલ્મે સારું પ્રદર્શન એટલા માટે નથી કર્યું કારણ કે તેનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું, 'થોડા વર્ષો પહેલા લોકો ઈચ્છતા હતા કે તેની ફિલ્મોને લઈને કોઈ વિવાદ થાય, જેથી તેની ફિલ્મ આગળ વધી શકે. મને લાગે છે કે જો 'લાલ સિંહ ચડ્ઢા' સારી હોત તો તેને બૉયકોટ ટ્રેનનો કોઈ ફરક ન પડ્યો હોત.'