નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની નજીક ગણવામાં આવતા એક્ટર અનુપમ ખેરે કહ્યું કે સરકારને તે સમજવુ જરૂરી છે કે ઇમેજ બનાવવા કરતા વધારે જરૂરી જીવન બચાવવુ છે.
એનડીટીવીને અપાયેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, સરકારથી સ્વાસ્થ્ય સંકટના પ્રબંધનમાં ચૂક તો થઇ છે પરંતુ બીજા રાજનૈતિક દળોએ આ ખામીઓનો ફાયદો ન ઉઠાવવો જોઇએ, તે ખોટી વાત છે.
અનુપમ ખેરે કહી દીધુ છે સરકારે અત્યારે આવી પડેલી આપદાનો સામનો કરવો પડશે. તે લોકો માટે તેમણે સામનો કરવો પડશે જેમણે વોટ આપીને તેમને તે ખુરશી પર બેસાડ્યા છે.
અનુપમ ખેરે ગંગા અને અન્ય નદીઓમાં મળી આવેલી લાશો વિશે કહ્યું કે, કેટલાક મામલામાં ટીકા કરવી લીગલ છે, કોઇ અમાનવીય વ્યક્તિ જ નદીઓમાં વહેતી લાશોથી પ્રભાવિત નહી થાય. તેમણે વધુમાં કહ્યું કે, બીજી પાર્ટીઓએ આ વસ્તુનો પોતાની પાર્ટીને લાભ થાય તેના માટે ઉપયોગ કરવો, મારા વિચારથી ઠીક નથી. મારા હિસાબે લોકોના આ કામ પર આપણને ગુસ્સો આવવો જોઇએ અને જે થઇ રહ્યું છે તેના માટે સરકારને જવાબદાર ગણવી જોઇએ કારણકે તેમનાથી ક્યાંક ને ક્યાંક ચૂક તો થઇ જ છે. તેમણે સમજવાની જરૂર છે કે આ સમય પોતાની ઇમેજ બનાવવાનો નહી પરંતુ જરૂરી કામ કરવાનો છે.