અરવિંદ કેજરીવાલે ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સને યૂ ટ્યૂબ પર અપલોડ કરવાની વાત કરી હતી, જેનો અનુપમ ખેરે જવાબ આપ્યો છે. જુઓ શું કહે છે અનુપમ ખેર
અનુપમ ખેરે આપ્યો કેજરીવાલને જવાબ
ધ કશ્મીર ફાઈલ્સ જીતી રહી છે દર્શકોનાં દિલ
કશ્મીરી પંડિતોનાં નરસંહાર પર છે સ્ટોરી
યૂ ટ્યૂબ પર જ અપલોડ કરી દો ધ કશ્મીર ફાઈલ્સ - કેજરીવાલ
કેજરીવાલે ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સને લઈને કહ્યું હતું કે કશ્મીરી પંડિતોનાં નામ પર લોકો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે . ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની શું જરૂર છે, સીધી યૂ ટ્યૂબ પર ઉપલોડ કરી દો એટલે ફ્રી થઇ જશે
અનુપમ ખેરનો જવાબ
કેજરીવાલનાં આવા નિવેદન પર અનુપમ ખેર કહે છે કે મને ખૂબ જ દુઃખ થયું, એક એક્ટર તરીકે પણ અને વધારે તો એક કશ્મીરી હિંદુ તરીકે. અરવિંદ કેજરીવાલ અસંવેદનશીલ છે અને તેમણે લાખો કશ્મીરી હિંદુઓ કે જેમને પોતાના ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા, તેમનો વિચાર કર્યો નહી. બધા ભારતીયોએ સિનેમાઘરોમાં જઈને આ ફિલ્મ જોવી જોઈએ, એ જ તેમના માટે યોગ્ય જવાબ રહેશે.
अब तो दोस्तों #TheKashmirFiles सिनमा हॉल में ही जाकर देखना।आप लोगों ने 32 साल बाद #KashmiriHindus के दुःख को जाना है।उनके साथ हुए अत्याचार को समझा है। उनके साथ सहानुभूति दिखाई है।लेकिन जो लोग इस tragedy का मज़ाक़ उड़ा रहे है।कृपया उनको अपनी ताक़त का एहसास कराएँ।🙏 #Shamepic.twitter.com/ytu8vLhY9C
કેજરીવાલ પર ફરી વાર કરતા અનુપમ ખેરે એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે જો તેમને બીજેપી સાથે કોઈ રાજકારણ બાબતે તકલીફ હોય, તો માત્ર એ વિષે જ વાત કરવી જોઈતી હતી, પરંતુ કશ્મીર ફાઈલ્સને વચ્ચે લાવીને અને તેને પ્રોપાગાંડા ફિલ્મ કહેવી એક શરમજનક બાબત છે. તેમણે આ ફિલ્મ જોઈ નથી. તેઓ માત્ર એક સ્ટેન્ડ અપ કોમેડિયનનું કામ કરવાની કોશિશ કરતા હતા.
ધ કશ્મીર ફાઈલ્સ જીતી રહી છે દર્શકોનાં દિલ
ફિલ્મ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વિવેક અનીહોત્રી આજકાલ પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. કશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ લોકોના દિલ જીતી રહી છે. લોકોની ભાવનાઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી પરંતુ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. પરંતુ હવે વિવેક અગ્નિહોત્રીએ આ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે અને સાથે જ સરકાર તરફથી પણ સમર્થન મળ્યું છે.
કશ્મીરી પંડિતોનાં નરસંહારની સ્ટોરી
ફીલ્મની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર તથા તેમની સાથે થયેલા અન્યાય વિષે છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા પોતાના દિલની વાત સોશિયલ મીડિયા પર લખી છે.