કોરોના વાયરસથી દુનિયાભરમાં હજારો લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે હાલ સુધી ખતરનાક વાયરસથી લડવા માટે ન કોઈ વેક્સીન છે અને ન કોઈ દવા. જો કે કેટલીક દવાઓની થોડી અસર જોવા મળી રહી છે. આ સમયે એક દવા રેમડેસિવિર છે. જે અમેરિકાની કંપની ગિલિયડ સાયન્સેઝે તૈયાર કરી છે. ગયા મહિને ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર ડૉ. ફૉસીએ વ્હાઈટ હાઉસમાં આ દવાની કામયાબીની જાહેરાત કરી હતી. હવે સરકારે આ દવાને કોરોનાના ગંભીર દર્દીઓને આપવાની મંજૂરી આપી છે.
ભારત સરકારે આ દવાને કોરોના માટે આપી મંજૂરી
ફક્ત ગંભીર દર્દીઓ માટે વાપરી શકાશે આ દવા
સૌથી અસરકારક છે આ દવા રેમડેસિવિર
ફક્ત ગંભીર દર્દીઓ માટે વાપરી શકાશે આ દવા
મળતી માહિતી અનુસાર ભારતની દવા નિયમનકારી સંસ્થા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDCSCO) એ રેમડેસિવિરના ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ દવા કોરોનાના એવા દર્દીઓને આપવામાં આવશે જેઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમાં વયસ્કો અને બાળકો બંને સામેલ છે. આ દવા અમેરિકાની કંપની ક્લાઇનેરા ગ્લોબલ સર્વિસીસ દ્વારા યુએસથી આયાત કરવામાં આવશે. હાલમાં, આ દવા કોરોના દર્દીઓ પર ફક્ત 5 દિવસ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
સૌથી અસરકારક છે આ દવા રેમડેસિવિર
એન્ટી વાયરલ ડ્રગ રેમડેસિવિર પર દુનિયાભરની નજર છે. અલગ અલગ ફેસમાં ટ્રાયલ ચાલી રહ્યું છે. ફેઝ થ્રીના પરિણામોના આધારે આ દવાના ઉપયોગથી 65 ટકા દર્દીઓમાં 11મા દિવસે સ્થિતિ સારી જોવા મળી હતી. ગયા મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકારે આ દવાની કામયાબીનું એલાન કરાયું હતું. રેમડેસિવિર દવાના સ્પષ્ટ, પ્રભાવી અને સકારાત્મક અસર થઈ રહી છે. રેમડેસિવિરનું ટ્રાયલ અમેરિકા, યુરોપ, એશિયાના 68 સ્થાનોએ 1063 લોકો પર કરાયું હતું. રેમડેસિવિર દવા કોરોનાના વાયરસને રોકી શકે છે તે ટ્રાયલથી પુરવાર થયું છે.
જાપાનમાં પણ થઈ રહ્યો છે ઉપયોગ
જાપાનમાં પણ કોરોનાના સંક્રમણની સારવારમાં રેમડેસિવિર દવાનો ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી. જાપાને આ નિર્ણય 3 જ દિવસમાં લીધો. જાપાનમાં કોરોનાની સારવાર માટે રેમડેસિવિર અસરકારક ગણવામાં આવી રહી છે.