વિશ્વમાં કોરોના વાયરસના કારણે તબાહી મચી ગઈ છે અને દરરોજ ટપોટપ લોકો મરી રહ્યા છે ત્યારે WHOએ ફરી એવી ચેતવણી આપી છે જે જાણીને આખા વિશ્વમાં ચિંતા વધી છે.
વધુ એક આફત પર WHOની ચેતવણી
એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સને લઈને WHOએ વ્યક્ત કરી ચિંતા
એક સદીની મેડિકલની મહેનત બરબાદ થઇ જશે : WHO પ્રમુખ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે કોરોના વાયરસ જેવી ખતરનાક તો નહીં પણ તેના જેવી જ વધુ એક વિકટ સમસ્યાની સામે ઉભા છે. WHO ચેતવણી આપી કે જો આપણે સાચવીશું નહીં તો મેડિકલ જગતમાં એક સૈકાની મહેનત બરબાદ થઇ જશે.
નોંધનીય છે કે WHO Antimicrobial Resistance એટલે કે એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
શું છે આ એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સને
એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સનો અર્થ એટલે એવી પરિસ્થિતિ જેમાં કોઈ પણ સંક્રમણ અથવા ઈજા માટે બનેલી દવાની અસર ઓછો થઇ જાય. સીધો અર્થ થાય છે કે સંક્રમણ કે ઈજા માટે જવાબદાર જીવાણુ જે તે દવા સામે પોતાની ઈમ્યુનીટીને મજબૂત કરી લે છે.
WHO કહી રહ્યું છે કે એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ વધવું એ કોરોના વાયરસ જેવું જ ખતરનાક છે અને જેના કારણે મેડીકલની દુનિયામાં એક સદીમાં જે વિકાસ થયો છે તે ખતમ થઇ જશે.
WHOના પ્રમુખે એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સને સૌથી મોટા સ્વાસ્થ્ય ખતરાઓમાં એક ગણાવી છે. તેમણે કહ્યું કે એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ ભલે એક મહામારી ન લાગે પરંતુ તે તેટલી જ ખતરનાક છે. આ મેડિકલની એક સદીની પ્રોગ્રેસને ખતમ કરી દેશે.
WHOએ કહ્યું કે એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ ખાદ્ય સુરક્ષા, આર્થિક વિકાસ અને રોગો સામે લડવાની ક્ષમતાને ખતરામાં નાખી રહ્યો છે.