એન્ટીલિયા કેસની તપાસ કરી રહેલી NIA દ્વારા ધરપકડ કરવામાં આવેલ પોલીસ ઓફિસર સચિન વાજેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
એન્ટીલિયા કેસ મામલે એનઆઇએની કાર્યવાહી
મુંબઇ પોલીસે સોમવારે સચિન વાજેને કર્યા સસ્પેન્ડ
મોડી રાત સુધી વાજેની ચાલી પૂછપરછ
ઉલ્લેખનીય છે કે, મુંબઇ પોલીસે સોમવારે સચિન વાજેની ધરપકડનું કારણે તેમને સસ્પેન્ડ કર્યા છે. હાલ 25 માર્ચ સુધી એનઆઇએની કસ્ટડીમાં છે અને તેમના પર એન્ટીલિયા કેસના સૂત્રધાર હોવાનો આરોપ છે.
અનેક પોલીસવાળાના નામનો થઇ શકે ખુલાસો
આપને જણાવી દઇએ કે, સચિન વાજેની ધરપકડ 12 કલાકની પૂછપરછ બાદ કરવામાં આવી હતી. જો કે, એનઆઇએના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 66 એન્કાઉન્ટર કરનાર વાજે આ ઘટનાના એકમાત્ર સૂત્રધાર નથી પરંતુ અનેક પોલીસવાળાના નામનો ખુલાસો થઇ શકે છે.
મોડી રાત સુધી વાજેની ચાલી પૂછપરછ
એનઆઇએ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શનિવારે બપોરે સાડા અગિયાર વાગ્યાથી લઈને રાત્રે સાડા અગિયાર સુધી મુંબઇના એનઆઇએ ઓફિસમાં વાજેની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન એનઆઇએએ સચિનની સામે કેટલા અગત્યના પુરાવાઓ રજૂ કર્યા હતા અને ત્યારબાદ તેમણે આ ગુનાની કબૂલાત કરી હતી. સાથે એવું પણ કહ્યું કે, તેઓ માત્ર મહોરું છે.
સચિનની ધરપકડના મુખ્ય 2 કારણ
NIAના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સચિનની ધરપકડના મુખ્ય 2 કારણ અગત્યના છે જેમાં 2 ગાડી જેનો ઉપયોગ 25 ફેબ્રુઆરીના રોજ એન્ટિલિયા કેસમાં કરવામાં આવ્યો હતો. જે સ્કોર્પિયોમાં 20 જીલેટિન સ્ટિક અને ધમકી ભરેલો પત્ર રાખવામાં આવ્યો હતો તે સ્કોર્પિયો ખરેખર 17 ફેબ્રુઆરીથી સચિન વાજે પાસે હતી.
મનસુખ હિરેને 18 ફેબ્રુઆરીએ કાર ચોરીની નોંધાવી હતી ફરિયાદ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એનઆઇએને પણ ખબર પડી ગઇ કે, 17 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સ્કોર્પિયો ઠાણેમાં ક્યાં પાર્ક કરવામાં આવી હતી આ સિલસિલામાં એનઆઇએની ટીમ વિક્રોલી પોલીસ સ્ટેશન વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે અને કાર ચોરીની ફરિયાદ મનસુખ હિરેને 18 ફેબ્રુઆરીએ લખાવી હતી.
સફેદ ઇનોવા કારે ખોલ્યા રાઝ
સ્કોર્પિયોની સાથે-સાથે એન્ટિલિયા સુધી જે સફેદ ઇનોવા કાર ગઇ અને જે ઇનોવામાં બેસીને સ્કોર્પિયોનો ડ્રાઇવર ભાગી છૂટ્યો હતો તે ઇનોવા કારનો પણ રાઝ ખૂલી ગયો હતો. આ ઇનોવા મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ સીઆઇયૂ યુનિટમાં ઉભી હતી. જે 25 ફેબ્રુઆરીની રાતે એન્ટિલિયામાં સ્કોર્પિયો પાર્ક કર્યા બાદ મુલુંડ નાકા પર જોવા મળી હતી.
સીસીટીવી આવ્યા સામે
સીસીટીવી પણ આ ઘટનાના સામે આવ્યા છે પરંતુ ત્યારબાદ ઇનોવા મુંબઇ તરફ આવી હતી. ત્યારબાદ મુંબઇ પોલીસ મોટર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં રાખવામાં આવે છે, નાગપાડામાં રહેલા આ મોટર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં મુંબઇ પોલીસની તમામ ગાડીઓ રિપેર થાય છે. તો ડ્રાઇવર કોણ હતું તેની પણ ભાળ મળી હોવાનું એનઆઇએના સૂત્રોએ જણાવ્યું છે અને તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.