મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડની ઉઘરાણી કરાવવાના આરોપ બાદ દેશમુખના રાજીનામાની માંગ વચ્ચે સંજય રાઉતે નિવેદન આપ્યું છે.
શિવસેનાના ગૃહ મંત્રી અનિલ દેશમુખે રાજીનામાનો કર્યો ઇન્કા
ભ્રષ્ટાચારના આરોપો બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ CMને લખ્યો પત્ર
સરકારને વિપક્ષની ગંદી રાજનીતિનો શિકાર ન થવું જોઇએઃ રાઉત
મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંહના ગંભીર આરોપો પર શિવસેનાએ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામાનો ઇન્કાર કર્યો છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે સરકારને વિપક્ષની ગંદી રાજનીતિનો શિકાર ન થવું જોઇએ.
'મહારાષ્ટ્રમાં ન્યાયપ્રક્રિયા પારદર્શક'
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રના રાજભવનમાં ભાજપના નેતાઓનું 2 દિવસથી આવવું-જવું અને ખાવું-પીવું ચાલી રહ્યું છે, તેને ચાલવા દો. મહારાષ્ટ્રમાં ન્યાય પ્રક્રિયા ખુબ જ પારદર્શક છે. તે તપાસ મુખ્યમંત્રીની દેખરેખમાં થાય છે. એન્ટીલિયા-સચિન વાજે મામલે વિપક્ષ ગંદી રાજનીતિ કરી રહ્યું છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું કે, તેમના આરોપોની તપાસ થવી અને દૂધનું દૂધ પાણીનું પાણી થવું જોઇએ. દૂધમાં કોણે પાણી ભેળવ્યું છે, તે પણ સ્પષ્ટ થઇ જશે.
'કેસમાં વિપક્ષ કરી રહ્યું છે રાજનીતિ'
રાઉતે કહ્યું કે, સરકારે વિપક્ષની ગંદી રાજનીતિનો શિકાર ન થવું જોઇએ. જો એવું થશે તો આ પરંપરા બની જશે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં જે વાતચીત ચાલે છે. તેમાં એ છે કે યૂપીએનું પુનર્ગઠન જરૂરી છે. યૂપીએની લીડરશીપ એવા નેતાના હાથમાં થવી જોઇએ, જે દેશના બીન ભાજપી પક્ષોનુ સંગઠન બનાવે.
તેમણે કહ્યું કે, દિલ્હીમાં ભાજપની સરકાર નથી તો તે રાજ્યપાલ દ્વારા પોતાનો અધિકાર બનાવવાના હકમાં લાગી છે. જો દિલ્હીમાં રાજ્યપાલ જ સરકાર ચલાવશે તો અહીં પર પસંદ કરાયેલા મુખ્યમંત્રીનો શું મતલબ છે. ક્યારેક ભાજપ દિલ્હીને સંપૂર્ણ દરજ્જો આપવાની વાત કરતું હતું અને આજે પસંદ કરાયેલા પ્રતિનિધિઓનો હક ખતમ કરવા પર લાગી છે. શું આ લોકશાહી છે?
દેશમુખે મુખ્યમંત્રી ઉદ્ધવને લખ્યો પત્ર
ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયા બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. દેશમુખે માગ કરી છે કે તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવામાં આવે, દેશમુખે પત્રમાં લખ્યું કે દૂધનું દૂધ પાણીનું પાણી થાય. મારા પર જે આરોપો લગાવ્યા છે તે ખોટા છે. જો મુખ્યમંત્રી તપાસના આદેશ આપે તો હું તેનું સ્વાગત કરીશ.