NIAની ટીમ વેહલી સવારે પૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માના ઘરે પહોંચી હતી. હાલમાં NIAની ટીમ જેબીનગર વિસ્તારના અંધેરીમાં સ્થિત પ્રદીપ શર્માના ઘરે છે.
NIA દ્વારા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માના ઘરે તપાસ
મનસુખ મર્ડર કેસમાં પૂર્વ ACP પ્રદીપ શર્માની પૂછપરછ
સવારે પ્રદીપ શર્માના ઘરે પહોંચી NIAની ટીમ
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માના મુંબઈ સ્થિત નિવાસની તપાસ કરવામાં આવી છે. NIAની ટીમ દ્વારા એન્ટિલિયા બોમ્બ કેસ અને મનસુખ મર્ડર કેસમાં પૂર્વ ACP પ્રદીપ શર્માની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી NIA દ્વારા પ્રદીપ શર્માની ધરપકડ મામલે કોઈ જ માહિતી આપવામાં આવી નથી.
સવારે પ્રદીપ શર્માના ઘરે પહોંચી NIAની ટીમ
NIAની ટીમ વેહલી સવારે પૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માના ઘરે પહોંચી હતી. હાલમાં NIAની ટીમ જેબીનગર વિસ્તારના અંધેરીમાં સ્થિત પ્રદીપ શર્માના ઘરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, NIAના ઓફિસર પ્રદીપ શર્માથી એન્ટિલિયા બોમ્બ કેસ અંગે વધુ માહિતી મેળવા પૂછપરછ કરી રહ્યા છે. અગાઉ NIAની ટીમ દ્વારા કરાયેલી પૂછપરછમાં સામે આવ્યું છે કે પ્રદીપ શર્મા, બિઝનેસમેન સચિન વાઝેનો મેન્ટર પણ હતો.
અધિકારીએ જણાવ્યું કે NIA આ બાબતની તપાસ કરી રહી છે કે શું શેલાર અને જાધવ થાણેના વ્યાપારી મનસુખ હિરેનની હત્યામાં સંડોવાયેલા હતા જે અંબાણી આવાસ એંટીલિયાની બહાર 25 ફેબ્રુઆરીએ મળી આવેલ વિસ્ફોટક ભરેલી SUV સ્કોર્પિયો કારનો માલિક હતો?
શું હતો મામલો?
ફેબ્રુઆરી મહિનામાં મુંબઈમાં ઉદ્યોગપતિ અંબાણીના ઘરની બહાર એક SUV સ્કોર્પિયો કારમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. આ કેસમાં તપાસ કરી રહેલી NIA દ્વારા બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે, "સંતોષ શેલાર અને આનંદ જાદવની ધરપકડ 11 જૂને મલાડથી કરવામાં આવી હતી. બંને આરોપી અંબાણીના ઘર એન્ટેલિયાની પાસે મળી આવેલી વિસ્ફોટક ભરેલી SUV કાર મામલે સંડોવાયેલા હતા". ઠાણેની સેશન્સ કોર્ટે બંને આરોપીને 21 જૂન સુધી NIAની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્પા હતા.