પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ (PNB SCAM) માં આરોપી મેહુલ ચોક્સીને જલ્દી જ ભારત પાછો લાવવામાં આવશે. મેહુલ ચોક્સી એન્ટિગુઆમાં રહી રહ્યો હતો, પરંતુ ત્યાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને નિવેદન આપ્યું કે એમણે જલ્દી જ ચોક્સીની નાગરિકતા રદ્દ કરવાના છે. એમના મુજબ, ભારતની તરફથી સતત ચોક્સી અંગે દબાણ કરવામાં આવતું હતું.
આ સાથે જ મેહુલ ચોક્સીને ભારત લાવવાનો રસ્તો પણ સાફ થઇ જશે. PNB કૌભાંડ હેઠળ નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર 13000 કરોડ રૂપિયાનો ગોટાળાનો આરોપ છે. આ મામલો 2018માં સામે આવ્યો હતો, ત્યારથી જ વિપક્ષ આ મુદ્દે મોદી સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે.
મેહુલ ચોક્સીના મામલે ભારત હાલ રાહ જોશે. સરકારી સૂત્રોનું માનીએ તો, ભારત એ રાહ જોઇ રહ્યું છે કે પહેલા એન્ટિગુઆની તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઇ જાય. ત્યારબાદ પોતાના સ્તર પર પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ભારતને નાગરિકતા રદ્દ થવા અંગે કોઇ સત્તાવાર સૂચના મળી નથી.
એન્ટિગુઆના વડાપ્રધાન મુજબ, મેહુલ ચોક્સીને પહેલા અહીંની નાગરિકતા મળી હતી. પરંતુ તેને રદ્દ કરવામાં આવી રહી છે અને ભારત પ્રત્યર્પિત કરવામાં આવી રહી છે. અમે કોઇપણ એવા વ્યક્તિને પોતાના દેશમાં નથી રાખવા માંગતા, જેમના પર કોઇપણ પ્રકારનો આરોપ લાગ્યો હોય.
વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉન અનુસાર, હવે એન્ટિગુઆમાં મેહુલ ચોક્સી પર કોઇપણ પ્રકારનો કાનૂની રસ્તો બચ્યો નથી. જેથી તે બચી શકે તેથી ભારત વાપસી લગભગ નિશ્ચિત છે. એમણે કહ્યું કે, હાલ મેહુલ ચોકસી સાથે જોડાયેલ મામલો કોર્ટમાં છે. તેથી આપણે પૂર્ણ પ્રક્રિયાનું પાલન કરવું પડશે. એન્ટિગુઆના વડાપ્રધાને કહ્યું કે એમણે ભારત સરકારને આ અંગે પૂર્ણ જાણકારી આપી છે. જોકે, મેહુલ ચોક્સીને તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવાનો સમય આપવામાં આવશે. જયારે તેની પાસે કોઇપણ કાયદાકીય વિકલ્પ નહીં બચે ત્યારે તેને ભારત પ્રત્યર્પિત કરી દેવામાં આવશે.