અમદાવાદમાં અસામાજિક તત્વોએ શહેરનાં શાતિ અને વ્યવસ્થાને ડહોળી નાંખી છે. દાણીલીમડામાં વધુ એક વાર અસામાજિક તત્વોએ વાહનોની તોડફોડ કર્યાનું સામે આવ્યું છે. જેને પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદના દાણીલીમડામાં અસામાજિક તત્વોનો આતંક
અલ્લાહ નગર પાસે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ રિક્ષાઓમાં કરી તોડફોડ
પોલીસ લાઈન પાસે મુકાયેલી 15 રિક્ષાનાં કાચ તોડ્યો
અમદાવાદના દાણીલીમડામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અલ્લાહનગર પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ રિક્ષાઓમાં તોડફોડ કરી હતી. પોલીસ લાઈન પાસે મુકવામાં આવેલી 15 રિક્ષાઓમાં તોડફોડ કરવામાં આવી હતી. જેને પગલે સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી. તેમજ આસપાસનાં વિસ્તારનાં સીસીટીવી ચેક કરી આ અસામાજિક તત્વો સામે પગલા ભરવા તજવીજ હાથ ધરી હતી.
સીસીટીવીનાં આધારે આરોપીઓની શોધ ખોળ હાથ ધરાઈ
આ તોડફોડ અસામાજિક તત્વોએ અદાવત રાખીને તથા લોકોમાં પોતાની ધાક જમાવવા માટે કરી હોવાનું માનાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ પોલીસ પોતાના શહેરની સુરક્ષાને વધારે મજબૂત કરવા તથા અમદાવાદમાં થયેલા પથ્થર મારા બાદ કોઈ પણ આરોપીને ઢીલ દેવાનાં મુડમાં નથી. પોલીસે સીસીટીવી અને અન્ય લોકોની પુછપરછ હાથ ધરી હતી.