MSRTC આવતા મહિનાથી પોતાની 10 હજાર બસો પર એન્ટી માઈક્રોબિયલ લેયર ચઢાવવનું કામ શરુ કરશે.
પ્રત્યેક બસ પર 95,00 રુપિયો ખર્ચ આવશે
MSRTC બસો પર એન્ટી માઈક્રોબિયલ લેયર ચઢાવશે
પ્રવાસીઓના સંપર્કમાં આવનારા તમામ ભાગો પર રસાયણિક તત્વોનો છંટકાવ કરાશે
MSRTC બસો પર એન્ટી માઈક્રોબિયલ લેયર ચઢાવશે
કોરોના વાયરસના પ્રકોપની વચ્ચે મહારાષ્ટ્ર રાજ્ય રોડ પરિવહન નિયમ (MSRTC) આવતા મહિનાથી પોતાની 10 હજાર બસો પર એન્ટી માઈક્રોબિયલ લેયર ચઢાવવનું કામ શરુ કરશે. આ માટે પ્રત્યેક બસ પર 95,00 રુપિયો ખર્ચ આવશે. એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. અધિકારીએ કહ્યું કે આ પ્રક્રિયા અંતર્ગત વાયરસ, જીવાણુ અને કવક જૈવા વાયરસના વિકાસને રોકવા માટે સપાટી પર રાસાયણિક તત્વોનો છંટાવ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે અનેક કાર્યાલય અને એરલાઈન આ ટેક્નીકનો નિયમિત રીતે ઉપયોગ કરી રહી છે.
એન્ટી માઈક્રોબિયલ લેયર પ્રવાસીઓના મનમાંથી ડર કાઢવા માટે મદદરુપ થશે
MSRTCના અધ્યક્ષ શેખર ચાન્નેએ કહ્યું, કોરોના વાયરસ મહામારી બાદ લોકો સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરવાથી ખચકાય છે. આ એન્ટી માઈક્રોબિયલ લેયર અમારા પ્રવાસીઓના મનમાંથી ડર કાઢવા માટે મદદરુપ સાબિત થશે.
પ્રવાસીઓના સંપર્કમાં આવનારા તમામ ભાગો પર રસાયણિક તત્વોનો છંટકાવ કરાશે
તેમણે કહ્યું કે રસાયણિક તત્વોનો છંટકાવ સીટ, બારી, ડ્રાઈવર કેબિન, દરવાજાઓ સહિત પ્રવાસીઓના સંપર્કમાં આવનારા તમામ ભાગો પર કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે આ કાર્ય માટે મેમાં નિંવિદાને ઈન્વાઈટ કરવામાં આવી હતી આ બન્ને કંપનીઓ આવનારા અઠવાડિયાની પ્રક્રિયાની શરુઆત માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં લગભગ એક મહિનાનો સમય લાગે છે. તેમણે કહ્યું કે કંપનીના જણાવ્યાનુંસરા એન્ટી માઈક્રોબિયલ લેયર ક્રમશઃ 2 અને 6 મહિના માટે કારગત છે.