15મી ઓગસ્ટને લઇ લાલ કિલ્લા પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 15મી ઓગસ્ટને લઇ સુરક્ષા એજન્સીઓએ અલર્ટ જારી કર્યું છે.
કેવી હશે લાલ કિલ્લા પર સુરક્ષા?
સુરક્ષા એજન્સીઓ દ્વારા અલર્ટ
દિલ્લીની તમામ સીમા બંધ
લાલ કિલ્લાની બહાર 15થી 20 મોટા કેન્ટેનર લગાવાયા
હવે થોડા કલાક બાદ જ ભારતમાં 75માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી શરૂ કરી દેવામાં આવશે ત્યારે દેશમાં આઝાદીનાં પર્વ પર સુરક્ષાને હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. આવતીકાલે પ્રધાનમંત્રી મોદી લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવશે અને તે બાદ રાષ્ટ્રજોગ સંબોધન કરશે. પીએમ મોદીનાં કાર્યક્રમને આખા દિલ્હીમાં હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે તથા ખાસ તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. લાલ કિલ્લાની આસપાસ એવી સુરક્ષા ગોઠવવામાં આવી છે કે ચકલું પણ ઘુસી ન શકે.
લાલ કિલ્લાની બહાર 15થી 20 મોટા કેન્ટેનર લગાવાયા
લાલ કિલ્લાની ચારેય તરફ 9 એન્ટિ ડ્રોન રડાર તૈયાર કરવામાં આવ્યા છે. લોકોનાં ચહેરા પણ ઓળખી જાય તેવા 300 કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. લાલ કિલ્લાનાં મેન ગેટની બહાર મોટા મોટા કન્ટેનર લગાવી દેવામાં આવ્યા છે જેથી તેની સામે કોઈ આવી ન શકે.
સમગ્ર દિલ્લીમાં 40 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરી દેવાયા
દિલ્હીની સુરક્ષા માટે હજારોની સંખ્યામાં પોલીસ તથા અન્ય સુરક્ષા જવાનો ખડકલો કરી દેવામાં આવ્યો છે ત્યારે આ સિવાય માત્ર લાલ કિલ્લાની સુરક્ષા માટે 5000 જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. આખી દિલ્હીમાં 40 હજાર જવાનો મા ભારતીની રક્ષા કરવા તૈનાત રહેશે. દિલ્હીની મોટા ભાગની બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે તથા જે બોર્ડર ચાલુ છે ત્યાં ખૂબ જ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
NSG કમાન્ડો, SPGના જવાનો પણ તૈનાત રહેશે
પોલીસની સાથે સાથે દિલ્હીમાં CRPF, NSG કમાન્ડો તથા SPG જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. મોટી મોટી ઈમારતો પર સ્નાઇપર્સ તૈનાત કરી દેવામાં આવ્યા છે.
15મી ઓગસ્ટને લઇ સુરક્ષા એજન્સીઓએ અલર્ટ જારી કર્યું છે
નોંધનીય છે કે 26 જાન્યુઆરીની જેમ જ 15મી ઓગસ્ટે ખાલિસ્તાનીઓનો ખતરો ખૂબ વધારે છે. પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લા પર ભારતની આન બાન શાન એટલે કે તીરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું. અત્યારે પણ ખાલિસ્તાનને લઈને દિલ્હીમાં હાઇઅલર્ટ આપી દેવામાં આવ્યું છે.