ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના હાલના રાજ્યપાલ આનંદીબેન પટેલે પોતાના કાર્યકાલના દોઢ વર્ષ પુરા કર્યા છે. આ પ્રસંગે તેમણે એક અંગ્રેજી અખબારને ઈન્ટર્વ્યૂહ આપ્યો છે. આનંદીબેન પટેલે હાલની યોગી સરકારના લવ જેહાદના કાયદાના વખાણ કર્યા છે. રાજ્યપાલે કહ્યું કે કોઈ વિષય પર કોઈ કાયદો લાવે છે તો તેની પાછળ કોઈ કારણ હોય છે. લવ જેહાદના મામલામાં છોકરીઓ હેરાન હતી. એક સર્વેમાં આ વાત સામે આવી છે. જેથી આ કાયદો લાવવામાં આવ્યો.
સમજદાર ખેડૂત આંદોલનનો ભાગ નથી
લવ જિહાદથી મોટાભાગની યુવતીઓ પરેશાન હતી
આગામી વિધાનસભા સત્રમાં લવ જિહાદવિધેયકને પારિત કરવામાં આવે
સમજદાર ખેડૂત આંદોલનનો ભાગ નથી
ત્યારે ખેડૂત આંદોલન પર પ્રતિક્રિયા આપતા આનંદીબેને કહ્યું, કે જે ખેડૂતો સમજદાર છે. તે આ આંદોલનનો ભાગ નથી. ફક્ત પંજાબના ખેડૂતો જ પ્રદર્શન કરી રહ્યા છે. પહેલા જ્યારે મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો ત્યારે કોઈએ ન જણાવ્યું કે કઈ વાત પર સમસ્યા છે. હવે આને પાછો ખેચવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ વિચારવું જોઈએ.
લવ જિહાદથી મોટાભાગની યુવતીઓ પરેશાન હતી
આનંદીબેનએ ઈન્ટર્વ્યૂહમાં કહ્યું કે એક સર્વે થયો છે. જેમાં જોવા મળ્યું છે કે છોકરીઓના લગ્ન થયા અને તેમાંથી કેટલાને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે? બીજા ઘર્મમાં લગ્ન કરનાર કેટલી યુવતીઓ પાછી ફરી? કેટલી યુવતીઓએ ફરિયાદ નોંધાવી? કેટલાક કેસમાં માતા પિતા સામે આવ્યા છે અને આરોપ લગાવ્યા છે કે યુવકે દીકરીનું નામ બદલી નાંખ્યું છે. રાજ્યપાલે કહ્યું કે જ્યારે એક સર્વેમાં એવી ઘટનાઓના સમાચાર વધે છે તો આ સ્થિતિમાં એક કાયદો લાવવો અને તેને અમલમાં મુકવો જરુરી અને યોગ્ય પણ છે.
બદીને રોકવી તમામ પરિવારની જવાબદારી છે
આનંદીબહેન પટેલે કહ્યું કે આપણા સમાજ, પરિવાર અને ખાનગી સ્તર પર પણ અનેક બદીઓ છે. જ્યારે આ બદીઓ બહાર આવવા લાગે છે. તો લવ જેહાદ જેવા કડક કાયદાની જરુર અનુભવાય છે. તેમણે આ સાથે કહ્યું કે મને લાગે છે કે આવી બદીઓનો રોકવી દરેક પરિવારની જવાબદારી છે. એ સાવધાનીથી જોવું જોઈએ કે દીકરા દીકરીઓ બહાર શું કરી રહ્યા છે. કોઈ પ્રતિકુળ ઘટના પર નજર રાખવી જોઈએ.
રાજ્યપાલે એક સવાલના જવાબમાં કહ્યું કે મહિલાઓ મારી પાસે અલગ અલગ મુદ્દાને લઈને આવે છે. જરુર પડે હું તેમને સરકાર પાસે મોકલું છું.
યુપીમાં ક્યારે આવ્યો લવ જેહાદનો કાયદો?
યૂપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન આનું એલાન કર્યું હતુ. યુપી કેબિનેટે 24 નવેમ્બરે ગેર કાયદેસરના ધર્માંતરણ વિધાયકને મંજૂરી આપી હતી. સરકારનું કહેવું છે કે આ કાયદાથી મહિલાઓને સુરક્ષા મળશે. આ કાયદામાં જોગવાઈ છે કે કોઈ છેતરપિંડીથી લગ્ન કરશે તો તેને 10 વર્ષની સજા થશે. મનાઈ રહ્યુંછે કે આગામી વિધાનસભા સત્રમાં લવ જિહાદ સાથે જોડાયેલા વિધેયકને પારિત કરવામાં આવે.