નાગરિકતા કાયદાના વિરોધમાં પૂર્વોત્તરના રાજ્યોના કેટલાક વિસ્તારોમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ગુવાહાટી એરપોર્ટ પર હજારોની સંખ્યામાં યાત્રીઓ ફંસાયા છે. શહેરમાં વાહનોની અવરજવર બંધ છે. ગુરૂવારથી અહીં કેટલીક ફ્લાઇટ રદ્દ કરી દેવામાં આવી છે પરંતુ કેટલાક ફ્લાઇટ જે દેશના અલગ અલગ ભાગોથી સંચાલન થયા છે તે ગુવાહાટી એરપોર્ટ પહોંચી, પરંતુ શહેરમાં વાહનોની ઉપલબ્ધતા ન થતા તેની આગળની યાત્રા સ્થગિત કરવી પડી. ઉલ્લેખનીય છે કે ગુરૂવાર મોડી રાત્રે રાષ્ટ્રપતિએ નાગરિકતા સંશોધન બિલ પર હસ્તાક્ષર કર્યા હતા, જ્યાર બાદ આ કાયદો બની ગયો છે.
વિરોધ પ્રદર્શનો વચ્ચે શહેરમાં વાહનોની અવર-જવર બંધ
શહેરમાં વાહનોની ઉપલબ્ધ ન થતા યાત્રા રદ્દ
એરપોર્ટ પર ફંસાયેલ લોકોએ નારાજગી વ્યક્ત કરી
પોતાના પરિવાર સાથે એરપોર્ટ પર ફંસાયેલ એક વ્યક્તિએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે હું મુંબઇથી અહીં સવારે 10 વાગ્યે પહોંચ્યો પરંતુ કોઇ વાહન નથી ચાલી રહ્યું, જેને લઇને મેઘાલયમાં પોતાના ઘર સુધી નથી જઇ શકી રહ્યો. સૌથી વધુ મુશ્કેલી નાના બાળકોને થઇ રહી છે. અત્યાર સુધી કે તેના માટે દૂધ પણ મળી નથી રહ્યું. મારો સવાલ એટલો છે કે જો પરિસ્થિતિ એટલી ખરાબ છે તો આ ફ્લાઇટોને આવવા જ કેમ ન દીધી.
પોતાની 80 વર્ષની માની સાથે શુક્રવારે ફંસાયેલ એક પ્રવાસીએ કહ્યું હતું કે, હું પોતાની માને લઇને ચિંતિત છું. ઠંડું હવામાન છે અને અમને કોઇ વાહન નથી મળી રહ્યું. તમામ ડ્રાઇવરોએ શહેર તરફથી જવાની મનાઇ કરી દીધી છે.
અમિત શાહનો શિલોન્ગ પ્રવાસ રદ્દ
જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 15-16 ડિસેમ્બરના રોજ ગુવાહાટીમાં થનાર મુલાકાત મુલતવી રહી છે ત્યારે તાજેતરમાં પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ દેશના ગૃહ મંત્રી અમિત શાહનો શિલોન્ગ પ્રવાસ રદ્દ થયેલ છે.
રાજધાની દિલ્હીમાં પણ વિરોધ પ્રદર્શન
આ તરફ CAB ને લઇને દેશની રાજધાની દિલ્હીમાં પણ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. જામીયા યુનિવર્સીટી બહાર પણ નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે.
મેઘાલયમાં બિલને લઇને લોકોમાં રોષ
આ પહેલા મેઘાલયમાં બિલને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને કારણે મોબાઇલ ઇન્ટરનેટ અને SMS સેવાઓ 2 દિવસથી અટકાવી દેવામાં આવી છે. આ સાથે જ રાજધાની શિલોન્ગમાં પોલીસે રાજભવન નજીક વિરોધીઓ પર ટિયરગેસ છોડ્યા હતા.
બાંગ્લાદેશના વિદેશ મંત્રીનો પ્રવાસ રદ્દ
રાજ્યસભામાં બુધવારે પસાર કરવામાં આવેલ નાગરિકતા સંશોધન બિલના વિરુદ્ધ આસામ અને ત્રિપુરામાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનને જોતા બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને પોતાનો ભારત પ્રવાસ રદ્દ કર્યો છે. રાજદ્વારી સૂત્રોએ આ જાણકારી આપી. વિદેશ મંત્રાલય દ્વારા પહેલા જારી સૂચના અનુસાર મોમેનને ગુરુવારે સાંજે પાંચ વાગ્યાને 20 મિનિટ પર અહીં પહોંચવાના હતા.