અમદાવાદ અને વડોદરામાં CAAનો વિરોધ હિંસક બન્યો છે .અમદાવાદ અને વડોદરામાં વિરોધીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ હિંસક ઘટનાને પગલે રાજકોટમાં પોલીસે ફ્લેગમાર્ચ યોજી હતી .રાજકોટ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી શહેરના ફુલછાબ ચોક અને સદરબજાર વિસ્તારમાં પંદરસોથી વધુ પોલીસકર્મીઓની ફ્લેગમાર્ચ યોજાઈ હતી. જો કે હાલ રાજકોટ શહેરમાં શાંતિપૂર્ણ માહોલ છે. પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક થઈ..