ટોળા દ્વારા માર-મારીને હત્યા નીપજવાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. રાજસ્થાન બાદ મધ્યપ્રદેશમાં વધુ એક નિર્દોષનો ભોગ લેવાયો છે.
મધ્યપ્રદેશના છારપુરમાં વધુ એક મોબ લિંચિંગની ઘટના સામે આવી છે. ઘટનાની વિગત એવી છે કે શનિવારે વોટ્સએપ પર એક મેસેજ વાયરલ થયો હતો.
આ વોટ્સએપ મેસેજમાં મહિલાને બાળકચોર તરીકે બતાવવામાં આવી હતી. જે બાદ ટોળાએ મહિલાને માર મારી અને હત્યા કરી હતી. ત્યાર બાદ પોલીસે ઘટના સ્થળેથી મહિલાનો મૃતદેહ કબજે કરી 14 આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ મહિલા માનસિક રીતે વિકલાંગ હતી અને છેલ્લાં છ મહિનાથી આ મહિલા આસપાસના વિસ્તારમાં ફરી રહી હતી.
ઉલ્લેખનીય છે કે હાલ સોશિયલ મીડિયાનું પ્રમાણ વધતા અફવાઓએ પણ વધુ જોર પકડયું છે અને અનેક નિર્દોષ લોકો આનો ભોગ બની રહ્યાં છે. જેનું આ તાજુ ઉદાહરણ છે.