દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે ઉછોળો જોવા મળી રહી છે. છેલ્લા 6 દિવસની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો દરરોજના 1500થી વધુ આવી રહ્યો છે. તો મોતનો આંકડો પણ આ દિવસો દરમિયાન 15થી વધુનો રોજ રહ્યો છે ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ફરી એકવાર કોરોનાને લઇને મોટી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
કોરોનાની આવી શકે છે ત્રીજી લહેર!
AMAએ વ્યકત કરી આશંકા
ફેબ્રુઆરી મહિનામાં કોરોનાની ત્રીજી લહેરની શકયતા
તાજેતરમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનના વડા મોનાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની ત્રીજી લહેરના ભણકારા સંભળાઇ રહ્યા છે. તો તેમણે એમ પણ જણાવ્યું હતું હતું કે, ગુજરાતમાં ફેબ્રુઆરી મહિના મહિના દરમિયાન કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ શકે છે.
પહેલી ઇનિંગ કરતા બીજી ઇનિંગ વધુ ગંભીર
AMAના વડા મોનાબેન દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની બીજી ઈનિંગ પહેલી ઇનિંગ કરતા જીવલેણ સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે, પ્રથમ ઇનિંગમાં 1.2% મૃત્યુઆંક હતો અને આગામી સમયમાં કોરોનાની બીજી લહેરમાં 4% મૃત્યુઆંક વધ્યો છે. ત્યારે હવે આગામી સમય ગાળામાં પણ આ આંકડો ચિંતાજનક રીતે વધી શકે છે.
અમદાવાદમાં સ્થિતિ વધુ ગંભીર
અમદાવાદમાં સતત વધતું કોરોનાનું સંક્રમણ નોંધાયો છે. કોરોના સંક્રમણનો આંકડો 45,922 પર પહોંચ્યો છે. અમદાવાદમાં મૃત્યુઆંક 1982 પર પહોંચ્યો છે. કુલ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 41,201 પર પહોંચી છે. જ્યારે અમદાવાદમાં હાલ 2739 એક્ટિવ કેસ નોંધાયા છે.
ક્યા ઝોનમાં કેટલા કેસ?
મધ્ય ઝોન 309
પશ્ચિમ ઝોન 465
ઉત્તર પશ્ચિમ ઝોન 517
દક્ષિણ પશ્ચિમ ઝોન 448
ઉત્તર ઝોન 318
પૂર્વ ઝોન 301
દક્ષિણ ઝોન 381
એક્ટિવ કેસ 2739
અમદાવાદ શહેરમાં કુલ 299 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન
અમદાવાદમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. ત્યારે વધુ 7 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. હાલ અમદાવાદ શહેરમાં કુલ 299 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ છે.
અમદાવાદ મનપાના એસ્ટેટ વિભાગએ કડક કાર્યવાહી
ગુજરાત હાઈકોર્ટ સામે આવેલા ક્રોમા સ્ટોરને સીલ કરવામાં આવ્યો છે. કારણ કે જ્યારે અહીંયા દરોડા પડ્યા ત્યારે કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો હતો. તેના જ કારણે ક્રોમા સ્ટોર સહિત 6 યુનિટોને સીલ કરી દંડ ફાટકરાયો છે. પંજાબ ઓટોમોબાઇલ્સ સાયન્સ સીટી, જય ભવાની, કારગિલ ચાર રસ્તા, ખુશી મોબાઈલ શોપ, ગુરુકુલ રોડ, સંજીવની હોસ્પિટલ, ભુયગદેવ ચાર રસ્તાને સીલ કરવા સાથે સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ રૂ.50,000 દંડ કરાયો છે.
રવિવારે ગુજરાતમાં નોંધાયા 1564 કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 1564 કેસ સામે આવ્યા છે. નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1451 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,89,420 પર પહોંચ્યો છે. આજે 16 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3969 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલમાં 14889 એક્ટિવ કેસ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14889 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 90.95 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 68,960 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 7,759,739 પર પહોંચ્યો છે. તો ચિંતાજનક વાત એ પણ છે કે, રાજ્યમાં હાલ 86 લોકો વેન્ટિલેટર પર છે.