સલામી બેટ્સમેન રોહિત શર્માની વધુ એક શાનદાર સેન્ચુરીથી મોટો સ્કોર કરનાર ટીમ ઇન્ડિયાએ રવિવારે પાકિસ્તાનને ડકવર્થ લૂઇસ નિયમથી 89 રનથી હાર અપાવીને વર્લ્ડકપમાં મોટી જીત મેળવી.
ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપમાં અત્યાર સુધી હંમેશા પાકિસ્તાનને હાર આપી છે અને વિરાટ કોહલીની ટીમે પણ આ ચાલુ રાખ્યુ. ટીમ ઇન્ડિયાએ 5 વિકેટના નુકસાન પર 336 રન કર્યા જ્યારે ટાર્ગેટ પૂરો કરવા માટે આવેલી પાકિસ્તાનની ટીમે જ્યારે 35 ઑવરના 6 વિકેટ પર 166 રન કર્યા ત્યારે જ વરસાદ આવ્યો, જે પછી મેચ શરૂ થવા પર પાકિસ્તાનને 40 ઑવરમાં 302 એટલે કે બાકીની 5 ઑવરમાં 136 રન કરવાના હતા. પાકિસ્તાી ટીમ 6 વિકેટના નુકસાન પર માત્ર 212 જ રન કરી શકી.
Another strike on Pakistan by #TeamIndia and the result is same.
Congratulations to the entire team for this superb performance.
ટીમ ઇન્ડિયાની આ ભવ્ય જીત પછી ફેન્સ સોશ્યલ મીડિયા પર શુભકામનાઓ આપી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટર હેન્ડલ પર લખ્યુ કે, ''ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન પર ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક અને તેનું પરિણામ પણ ગઈ વખત જેવું જ છે.'' તેમણે લખ્યુ કે, ટીમના શાનદાર ફોર્મ માટે શુભકામનાઓ, દરેક દેશવાસીને તમારા પર ગર્વ છે અને જીતનો ઉજવણી કરી રહ્યા છે.
Congratulations to Indian cricket team for winning the match against Pakistan in #CWC2019. The Indian team played an amazing game of cricket for this victory.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને હિંદુસ્તાનને શુભકામનાઓ આપી. રક્ષામંત્રી રાજનાથ સિંહ, સ્પોર્ટ્સ રાજ્યમંત્રી કિરણ રિજ્જૂ, રેલવે મંત્રી પીયુષ ગોયલે પણ ટીમને શુભેચ્છા પાઠવી છે.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયા 2019 પોતાના અજય અભિયાન જારી રાખ્યો છે, આ 4 મેચમાં ત્રીજી જીત સાથે 7 પૉઇન્ટ થઇ ગયા છે. પાકિસ્તાનની 5 મેચમાંથી ત્રીજી હાર છે, જ્યારે પૉઇન્ટ ટેબલ પર તેમના 3 જ પૉઇન્ટ છે અને છેલ્લેથી બીજા સ્થાન પર છે.