ઓડિશાના જગતસિંહપુર જિલ્લાના પારાદીપ બંદર પર મંગળવારે એક રશિયન નાગરિક કાર્ગો જહાજ પર મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ 51 વર્ષીય સર્ગેઈ મિલ્યાકોવ તરીકે કરી છે.
ઓડિશામાં વધુ એક રશિયન નગારિકનું મોત થતાં ખળભળાટ
એક કાર્ગો જહાજમાંથી મળી આવ્યો રશિયન નાગરિકનો મૃતદેહ
પોલીસ મૃતકના પોસ્ટમોર્ટમની કરશે વીડિયોગ્રાફી
ઓડિશામાં રશિયન નાગરિકોના મોતનો સિલસલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. બી વ્લાદિમીર અને પાવેલ એન્ટોનોવ બાદ વધુ એક રશિયન નાગરિક (રશિયન નાગરિક) મૃત હાલતમાં મળી આવ્યો છે. જગતસિંહપુર જિલ્લાના પારાદીપ બંદરે મંગળવારે એક કાર્ગો જહાજમાંથી રશિયન નાગરિકનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતકની ઓળખ 51 વર્ષીય સર્ગેઈ મિલ્યાકોવ તરીકે કરી છે.
એસપી અખિલેશ્વર સિંહે આપી માહિતી
આ ઘટના અંગે માહિતી આપતા જગતસિંહપુરના એસપી અખિલેશ્વર સિંહે કહ્યું કે, અમને જાણવા મળ્યું છે કે મૃતક કાર્ગો જહાજના ક્રૂ મેમ્બરોમાંથી એક હતા. પોસ્ટમોર્ટમ બાદ જ મૃત્યુનું સાચું કારણ કારણ જાણી શકાશે. અમારી પ્રાથમિક તપાસ મુજબ, સર્ગેઈ મિલ્યાકોવ અચાનક જહાજ પર પડી ગયા હતા. શક્ય છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોય.
પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરાશેઃ અખિલેશ્વર સિંહ
એસપી અખિલેશ્વર સિંહે વધુમાં જણાવ્યું કે, પોલીસ સર્ગેઈ મિલ્યાકોવના પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરશે અને તેમના આંતરડાના નમૂનાની સાથે-સાથે તેમના શરીરને પણ સુરક્ષિત રાખશે. નોંધનીય છે કે, ઓડિશા પોલીસને પાવેલ એન્ટોવના આંતરડાના નમૂનાઓ ન સાચવવા અને તેમના પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી ન કરવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
પાવેલ અને વ્લાદિમીરનું થયું હતું રહસ્યમય મોત
નોંધનીય છે કે, આ પહેલા બે રશિયન પ્રવાસીઓના દક્ષિણ ઓડિશાના રાયગઢ શહેરમાં રહસ્યમય રીતે મોત થયા હતા. આમાંથી એક 65 વર્ષના રશિયન સાંસદ પાવેલ એન્ટોવ હતા અને બીજા તેમના મિત્ર વ્લાદિમીર બિડેનોવ હતા. પાવેલનું મોત 24 ડિસેમ્બરે અને બિડેનોવનું 22 ડિસેમ્બરે થયું હતું. પાવેલનું હોટલના ત્રીજા માળેથી કથિત રીતે પડી જતા મૃત્યુ થયું હતું, જ્યારે તેમના મિત્ર બિડેનોવ આ હોટલના પોતાના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આલોચક હતા. હાલ ઓડિશા પોલીસ બંને કેસની તપાસ કરી રહી છે. તો એવા પણ સમાચાર છે કે આ કેસોની તપાસમાં ઇન્ટરપોલની મદદ લેવાનો વિચાર પણ ચાલી રહ્યો છે.