PNBની મુંબઈ સ્થિત બ્રૈડી હાઉસ બ્રાંચમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. PNBએ વધુ એક છેતરપિંડી પકડી છે. જેમાં 9.9 કરોડ રૂપિયાની છેતરપિંડી સામે આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ રૂપિયા પણ નિરવ મોદીની કંપનીને જ આપવામાં આવ્યા છે.
નવું કૌભાંડ સામે આવ્યા બાદ આ છેતરપિંડી 13 હજાર 431 કરોડનું થઈ ગયું છે. આ મામલે સીબીઆઈમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સીબીઆઈના જણાવ્યા મુજબ આ મામલામાં ચાંદરી પેપર એન્ડ અલાયડ પ્રોડક્ટ્સ એન્ડ પ્રાઈવેટ લિમીટેડને ખોટી રીતે LOU જાહેર કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે દેશમાં તાજેતરમાં થયેલ પંજાબ નેશનલ બેંક સાથેની છેતરપિંડીને લઇને નિરવ મોદી હાલ ખુબ ચર્ચામાં છે ત્યારે આજરોજ મુંબઇની બ્રેડી હાઉસ બ્રાંચ ખાતેથી વધુ 9.9 કરોડની છેતરપિંડી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવતા રાષ્ટ્રની પંજાબ નેશનલ બેંક ફરીવાર ચર્ચાનો વિષય બની છે.જો કે આ ઘટનાની જાણકારી CBIને મળતા તાત્કાલિક અસરથી ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.