સ્વામી પ્રસાદ મૌર્ય પછી હવે દારા સિંહ ચૌહાણે પણ યોગી કેબિનેટમાંથી રાજીનામું આપી દેતા ભાજપની મુશ્કેલી વધી છે.
ભાજપ અને યુપીની યોગી સરકારની મુશ્કેલી વધી
હવે કેબિનેટ મંત્રી દારા સિંહ ચૌહાણે આપ્યું રાજીનામું
ગઈકાલે સ્વામી પ્રસાદ મૌર્ય રાજીનામું આપી ચૂક્યા છે
યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે મંત્રીઓ અને ધારાસભ્યોના રાજીનામાનો મુદ્દો માથાનો દુખાવો બન્યો છે.યુપી ચૂંટણી પહેલા મંત્રીઓ અને ધારાસભ્યોના રાજીનામા કેવી રીતે રોકવા તે હવે ભાજપ માટે યક્ષ સવાલ બન્યો છે.યોગી કેબિનેટમાંથી રાજીનામું આપનાર દારાસિંહ ચૌહાણ બીજા મંત્રી છે. ગઈકાલે સ્વામી પ્રસાદ મૌર્યે પણ રાજીનામું આપી દીધું હતું અને સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. રાજ્યના અન્ય ચાર ધારાસભ્યોએ પણ તેમના સમર્થનમાં ભાજપને વિદાય આપી હોવાનું કહેવાય છે. દારા સિંહ ચૌહાણ ઉત્તર પ્રદેશ સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી છે. દારા સિંહ ચૌહાણ મૌની બદુબન બેઠકના ધારાસભ્ય છે.
વન મંત્રી દારાસિંહ ચૌહાણે આપ્યું રાજીનામું
ગઈકાલે સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા બાદ આજે હવે યોગી સરકારના વન અને પર્યાવરણ મંત્રી દારાસિંહ ચૌહાણે પણ રાજીનામું આપી દેતા ખળભળાટ મચ્યો છે તેમણે તેમનું રાજીનામું સીએમ યોગીને મોકલી આપ્યું હતું. રાજીનામું આપતી વખતે તેમણે દલિતો અને પછાતોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો.
Uttar Pradesh cabinet Minister and BJP leader Dara Singh Chauhan quits from his post pic.twitter.com/PWvCNUq4zm
દલિતો અને પછાતોની ઉપેક્ષાનો લગાવ્યો આરોપ
દારા સિંહ ચૌહાણે યોગી સરકાર પર દલિતો અને પછાતોની ઉપેક્ષાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે યોગી સરકારે દલિતો અને પછાતોની ઉપેક્ષા કરી છે. બે કેબિનેટ મંત્રીઓની ઉપરાંત 3 ધારાસભ્યોએ પણ ભાજપમાંથી રાજીનામા આપી દીધા છે. દારા સિંહ ચૌહાણે પોતાના રાજીનામામાં લખ્યું છે કે રાજ્ય સરકારે પછાત, વંચિત, દલિતો, ખેડૂતો અને બેરોજગાર યુવાનોની ઘોર ઉપેક્ષા કરી છે. તેમણે કહ્યું કે પછાત અને દલિતોની અનામત સાથે ચેડા કરાઈ રહ્યાં છે. દારાસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તેઓ સરકારના વલણથી નારાજ છે અને રાજીનામું આપી રહ્યા છે.
BJP formed govt with the support of Dalits, backward communities...but didn't serve them well, which is why I resigned... Next step would be to hold discussions with my society people and then take a call for future course of action: BJP leader Dara Singh Chauhan on resignation pic.twitter.com/t9Ma3vSHpM
સ્વામી પ્રસાદ મૌર્યે પણ યોગી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું
ગઈકાલે સ્વામી પ્રસાદ મૌર્યે પણ યોગી કેબિનેટમાંથી રાજીનામું આપીને સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. તેમની સાથે બીજા 3 ધારાસભ્યોએ પણ રાજીનામા આપી દીધા હતા.