અમરેલીઃ ગુજરાતમાં સાવજ પર સંકટ ઘેરાઈ રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. વધુ એક સિંહણનું દલખાણિયાની રેન્જમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ સાથે જ સિંહોના મોતનો આંકડો 14નો નોંધાયો છે. રેસ્કયું સેન્ટરમાં લાવવામાં આવેલી સિંહણનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રેસ્ક્યુ સેન્ટરમાં લવાયેલ સિંહણનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
સિંહણના ટીસ્યુ અને બ્લડ સેમ્પલની લેબોરેટરીમાં તપાસ કરાઇ. વન વિભાગની 102 ટીમના 399 કર્મચારીઓ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે. ગીરના 785 ચોરસ કિમી વિસ્તારમાં ચકાસણી હાથ ધરાઇ છે. 158 સિંહો તંદુરસ્ત હોવાનો વન વિભાગે દાવો કર્યો છે. ઇજાગ્રસ્ત સિંહોને સ્થળ પર જ સારવાર આપી મુક્ત કરી દેવામાં આવ્યા છે. જ્યારે એક બિમાર સિંહણને રેસ્ક્યુ સેન્ટરમાં દાખલ કરવામાં આવી છે.
મહત્વનું છે કે ગઇકાલે દલખાણિયા રેન્જમાં બે સિંહના મોત નિપજ્યાં હતા. આ પહેલા ધારી અને અમરેલી વિસ્તારમાં વસવાટ કરતા ચાર સિંહોના મૃતદેહ વનવિભાગને કોહવાયેલી હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ એક સાથે ત્રણ સિંહના મૃતદેહ સરસીયા વિસ્તારમાંથી મળી આવ્યા હતા. આમ આ કુલ અત્યાર સુધીમાં 14 સિંહોના મોત નિપજ્યાં છે.