રાજકોટ મનપા સત્તાધીશો અને કલેકટરની મિલીભગતથી કલેક્ટર હસ્તકના પ્લોટ નં.95 અને 288ના કરોડોની જમીન માત્ર 81 કરોડમાં બિલ્ડરને પધરાવી દીધી
રાજકોટમાં જમીન કૌભાંડના આક્ષેપ
મનપા સત્તાધીશો સામે કોંગ્રેસ નેતાનો આક્ષેપ
બિલ્ડરને સસ્તામાં જમીન આપ્યાનો આક્ષેપ
રાજકોટમાં વધુ એક જમીન કૌભાંડના આક્ષેપ
રાજકોટના પૂર્વ મનપા વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના મનપા સત્તાધીશો સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સામે આવેલ બિશપ હાઉસ સામેના પ્લોટની કરોડોની જમીન સસ્તા દરે બિલ્ડરને વેચી દીધી છે. વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, કલેકટર હસ્તક પ્લોટ નં.95 અને 288 મનપાએ ખરીદ્યા હતા. બાદમાં સત્તાધીશો દ્વારા PPP ધોરણે કરોડોની જમીન ઓછી કિંમતે બિલ્ડરને વેચવામાં આવી છે આમ સસ્તામાં જમીન વેચીને રૂ. 120 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે
વેચેલી જમીનમાં બિલ્ડરે 25 જ આવાસો બનાવ્યા
વશરામ સાગઠિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, સત્તાધીશો દ્વારા આવાસ બનાવવાના બહાને 240 કરોડના પ્લોટ 81 કરોડમાં બિલ્ડરને વેંચ્યો હતો.જેમાંથી બિલ્ડરે માત્ર 2014 ચો.મી પર જમીનમાં આવાસ બનાવ્યા છે. બાકીની જમીન બિલ્ડરે સસ્તા ભાવે તંત્ર પાસે ખરીદી લીધી છે. આમ જમીન મામલે 120 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જે તે સમયે કોંગ્રેસે આ મામલે વિરોધ નાોંધાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં વધુ એક જમીન કૌભાંડ મામલે CM ભુપેન્દ્ર પટેલને કોંગ્રેસના નેતાઓ રજૂઆત કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બિલ્ડર સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, બિલ્ડરે માત્ર 25 આસપાસ આવાસો બનાવી બાકીની જમીન પોતાના નામે કરાવી લીધી છે.
શું છે વશરામ સાગઠિયાના આક્ષેપ ?
રાજકોટના પૂર્વ મનપા વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના સત્તાધીશો સામે આક્ષેપ કર્યો હતો કે, કલેક્ટર હસ્તકના પ્લોટ નં.95 અને 288 મનપાએ PPP આવાસ યોજના હેઠળ પોતાના હસ્તકમાં લીધા હતાં. જેમાં થી 20890 ચો.મી જમીન PPP ધોરણે જે.પી.કન્સ્ટ્રકશનને આપવામાં આવી હતી. જેમાંથી 2074 ચો.મી જમીન આવાસો બનાવ્યા હતાં. જ્યારે 19000 ચો.મી જમીન જે.પી.કન્સ્ટ્રકશનને મફતના ભાવે આપાઈ હતી. મહત્વનું છે કે, સત્તાધીશો દ્વારા આશરે 201 કરોડની જમીન જે.પી.કન્સ્ટ્રકશનને માત્ર 81 કરોડમાં અપાઇ હોવાના આક્ષેપો કર્યા છે.