જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના બની છે. ગ્રેનેડ હુમલામાં ઉત્તર પ્રદેશના બે શ્રમિકોના મોત નીપજ્યાં છે. કાશ્મીર પોલીસે લશ્કરના એક આતંકવાદીની ધરપકડ કરી છે.
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના
શોપિયાંમાં આતંકીઓએ મોડી રાત્રે કર્યો ગ્રેનેડ હુમલો
હુમલામાં યુપીના બે શ્રમિકોના મોત, એક આતંકીની ધરપકડ
Target Killing in Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. સોમવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલામાં યુપીના બે શ્રમિકોના મોત થયા છે. બંને મૃતક શ્રમિક મુશીર કુમાર અને રામ સાગર કન્નૌજ જિલ્લાના રહેવાસી હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકીઓએ મોડી રાત્રે ગ્રેનેડથી હુમલો કર્યો હતો. હુમલાની માહિતી બાદ કાશ્મીર પોલીસે ઘેરાબંધી કરી છે અને લશ્કરના એક આતંકવાદીની ધરપકડ કરી છે.
Hybrid terrorist of proscribed terror outfit LeT Imran Bashir Ganie of Harmen, Shopian who lobbed grenade arrested by Shopian police. Further investigation and raids are going on: ADGP Kashmir zone, Vijay Kumar
ત્રણ દિવસ પહેલા જ એક કાશ્મીરી પંડિતની કરાઈ હતી હત્યા
મળતી માહિતી અનુસાર, ધરપકડ કરાયેલા આતંકવાદીએ હુમલાની કબૂલાત કરી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલી ઘટના નથી જ્યારે ઉત્તર ભારતીયો અને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવીને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોય. ત્રણ દિવસ પહેલા જ એક કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી હતી.
પોલીસે આતંકવાદી ઈમરાન બશીરની કરી ધરપકડ
એડીજીપી કાશ્મીર ઝોન વિજય કુમારે જણાવ્યું કે, શોપિયાં વિસ્તારના હરમનમાં LeTના આતંકવાદી ઇમરાન બશીર ગનીએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો, જેમાં બે શ્રમિકોના મોત થયા છે. પોલીસે ઈમરાન બશીરની ધરપકડ કરી લીધી છે અને આ કેસમાં તપાસ અને દરોડા ચાલુ છે.